ભારતમાં રેલ પરિવહનને સરળ અને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે અને હવે ભારતીય રેલ્વે સંબંધિત માહિતી સામે આવી છે. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ આગળ વધારવાની સાથે દેશનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ માહિતી રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કરી છે. તેમણે જણાવ્યું કે આ હાઇપરલૂપ ટ્રેક રેલવે દ્વારા આઈઆઈટી મદ્રાસના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક આઈઆઈટી મદ્રાસની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે અને તે 410 મીટર લાંબો છે. આ હાઇપરલૂપ ટ્રેક પ્રોજેક્ટ ભવિષ્યમાં રેલ ટ્રાફિકને વધુ સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે રેલ્વે હાઇપરલૂપ ટેકનોલોજીના વ્યાપારીકરણ માટે આઈઆઈટી મદ્રાસને 1 મિલિયન ડોલરની ત્રીજી ગ્રાન્ટ મંજૂર કરશે.
હાઇપરલૂપ રેલ ટ્રેક વાસ્તવમાં એક એવી ટેકનોલોજી છે જેમાં ટ્રેનને ખાસ ડિઝાઇન કરેલી ટ્યુબમાં ચલાવવામાં આવે છે અને તે પણ વધુ ઝડપે, જે જાહેર પરિવહનને ઝડપી બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. હવે જ્યારે દેશનો પહેલો હાઇપરલૂપ રેલ ટ્રેક તૈયાર થઈ ગયો છે ત્યારે અપેક્ષા રાખવામાં આવે છે કે તેના પર ટૂંક સમયમાં ટ્રેન ટ્રાયલ શરૂ કરવામાં આવશે.
દેશમાં વેક્યુમ ટ્યુબ આધારિત હાઇપરલૂપ ટ્રેનની શરૂઆત સાથે તે દેશમાં પરિવહનનું પાંચમું અને સૌથી ઝડપી માધ્યમ બનશે. હાઇપરલૂપ ટ્રેનની ગતિ 600-1200 કિમી/કલાક સુધીની હોય શકે છે. અહેવાલો અનુસાર, ભારતીય હાયપરલૂપ ટેસ્ટ ટ્રેકનું પરીક્ષણ 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરી શકાય છે અને આ રીતે 300 કિલોમીટરની મુસાફરી માત્ર 30 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે.
દેશમાં બુલેટ ટ્રેન ચલાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આ દિશામાં કામ સતત ચાલી રહ્યું છે. ગયા વર્ષે એપ્રિલ 2024માં, રેલ્વે મંત્રીએ માહિતી આપતા કહ્યું હતું કે ભારતીય રેલ્વે 2026 સુધીમાં દેશમાં તેની પ્રથમ બુલેટ ટ્રેન સેવા શરુ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં શરૂ થનારી હાઇ-સ્પીડ બુલેટ ટ્રેનની ગતિ 320 કિલોમીટર પ્રતિ કલાક હોય શકે છે. આવી સ્થિતિમાં, હાઇપરલૂપ ટ્રેક દ્વારા આ અંતર ફક્ત 30 મિનિટમાં કાપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech