અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાને ત્રણ દિવસ વિતી ચૂક્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે મૃતકોના અને તેમના પરિવારજનોના DNA સેમ્પલિંગની કાર્યવાહી યથાવત્ રહી. તો બીજી તરફ 31 મૃતદેહોના સેમ્પલ મેચ થતાં તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાની પણ શરૂઆત કરવામાં આવી છે.
આ અંગે સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં ત્રણ પરિવારોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા હતા. જ્યારે આજે સવારે 9 વાગ્યા સુધીમાં અન્ય 9 મૃતદેહ મળી કુલ 12 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. જેટલા લોકોના DNA મેચ થયા છે તેમાંથી હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA મેચનો કોઇ રિપોર્ટ આવ્યો નથી.
મૃતકો ગુજરાતના અલગ અલગ 18 જિલ્લાના
શનિવાર સુધીમાં 248 લોકોના DNA સેમ્પલનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે. જેમાં 15 લોકોના DNA મેચ થતા તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં જે મૃતકો છે તેમાં ગુજરાતના અલગ અલગ 18 જિલ્લાના છે. જેઓના મૃતદેહોને વતનમાં પહોંચાડવા માટે કુલ 230 ટીમ બનાવવામાં આવી છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મેસમાં અને આસપાસના વિસ્તારમાં હાજર 32 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 8ની હાલ સારવાર ચાલી રહી છે. જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્યને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
બાકીના 31 સ્વજનોને પણ જાણ કરવામાં આવી છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં 31 મૃતકોના DNA મેચ થયા છે. આ પૈકી, ગઈકાલે 3 અને આજે 9 મળીને કુલ 12 મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. બાકીના 31 સ્વજનોને પણ જાણ કરવામાં આવી છે અને સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યા બાદ જ તેમણે મૃતદેહ લેવા માટે આવવાનું રહેશે. વિસનગરના એક જ ગામના 4 મૃતદેહ સોંપવામાં આવ્યા છે.ગામની એક દીકરીનું પણ મોત થયું છે જેનું DNA મેચ થયું નથી જેથી તેની બોડી આપવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech