ઉનાના નાલીયા માંડવી ગામે એક રહેણાંક મકાનમાં સંકાસ્પદ ખાદ્ય તેલના ડબ્બાનો જથ્થો હોવાની નવાંબંદર પોલીસને બાતમી મળતા મકાનમાં દરોડો પાડી મોટી સંખ્યામાં શંકાસ્પદ ખાદ્ય તેલના ડબ્બા ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉનાના નવાબંદર મરીન પોલીસના ડી સ્ટાફ સંદીપ જણકાટ તથા પીપી બાંભણીયાને મળી હતી. ચોક્કસ બાતમીના આધારે મરીન પોલીસના પી એસ આઈ વીકે ઝાલા એ રહેણાંક મકાનમાં રેડ કરતાં રહેણાંક મકાન માંથી શંકાસ્પદ તેલ અંદાજીત 325 થી વધુ ડબ્બા ઝડપી પાડયા હતા. અને નવાબંદર પોલીસે શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી મામલતદારના પુરવઠા વિભાગને જાણ કરી હતી. પુરવઠા વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પોહોચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ ડબ્બા સીજ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. સંકાસ્પદ ખાદ્ય તેલના નમુનાં લેવામાં આવશે. તપાસ બાદ બહાર આવશે તેલ કેવું ?
જશરાજ ટાઉનશિપમાંથી વધુ 193 ડબ્બાનો જથ્થો એલસીબી દ્વારા કબજે
નાલીયા માંડવીમાં 325 ડબ્બા શંકાસ્પદ ઝડપાયા બાદ નાલીયા માંડવી ગામે એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે દેલવાડા રોડ પર જશરાજ ટાઉનશિપ વિસ્તારમાંથી વધુ 193 ડબ્બા શંકાસ્પદ તેલ ઝડપી પાડ્યું છે. હાલ ઉના મામલતદાર સહીતની ટીમ ઘટના સ્થળે તપાસ હાથ ધરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech