2015 પછી દેશમાં મૃત્યુદંડના કેદીઓની સંખ્યામાં 45.71 ટકાનો વધારો થયો છે. નેશનલ લો યુનિવર્સિટી, દિલ્હીના અહેવાલ મુજબ, 2023માં 120 દોષિતોને ટ્રાયલ કોર્ટોએ મૃત્યુદંડની સજા સંભળાવી હતી, પરંતુ આ વર્ષે 2000 પછી એપેલેટ કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજાને જાળવી રાખવાનો સૌથી ઓછો દર જોવા મળ્યો હતો. 2021 પછી બીજી વખત કોર્ટે 2023 માં કોઈપણ દોષિતની મૃત્યુદંડની સજા આપી ન હતી. કણર્ટિક હાઈકોર્ટે હત્યાના એક સામાન્ય કેસમાં માત્ર એક જ દોષિતની ફાંસીની સજાને સમર્થન આપ્યું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 561 એવા કેદીઓ છે જેમને મોતની સજા સંભળાવવામાં આવી છે. ગયા વર્ષે મૃત્યુદંડના કેદીઓની સંખ્યા બે દાયકામાં સૌથી વધુ હતી. રાષ્ટ્રપતિએ માર્ચ 2023માં દયાની અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં, ગુનેગારે 2008 માં એક સગીરનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022માં 541 અને 2021માં 490 કેદીઓ ફાંસીની રાહ જોઈ રહ્યા હતા. આ બે વર્ષમાં અનુક્રમે 167 અને 146 લોકોને મોતની સજા સંભળાવવામાં આવી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ તપાસમાં ખામીઓ અને નીચલી અદાલતો જે રીતે રજૂ કરેલા પુરાવાઓની યોગ્યતાનું મૂલ્યાંકન કરે છે તેમાં આરોપી મૃત્યુદંડના કેસોમાં નિર્દોષ છૂટી જાય છે અથવા કેસ નીચલી અદાલતોમાં પાછા ફરે છે. ટ્રાયલ કોર્ટની સુનાવણીમાં ફોરેન્સિક પુરાવા અંગેની ચચર્મિાં વિવિધ ઉચ્ચ અદાલતોને નોંધપાત્ર ખામીઓ જોવા મળી હતી. સજાની પ્રક્રિયામાં પણ બેદરકારી દાખવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ, તેલ અવીવ એરપોર્ટ નજીક થયો મિસાઇલ હુમલો
May 04, 2025 04:25 PMપીએમ મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે કરી મુલાકાત
May 04, 2025 04:00 PMરાજકોટ કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કાર અને કચરાના ટ્રેકટર વરચે અકસ્માત...
May 04, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech