આજે સવારે શ્રીલંકાના નૌકાદળે ડેલ્ફ્ટ ટાપુ નજીક ગોળીબાર કર્યો અને 13 માછીમારોની અટકાયત કરી હતી. માછીમારોને અટકાયતમાં લેતી વખતે શ્રીલંકાના નૌકાદળે પણ ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ માછીમારો ઘાયલ થયા છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ આ ઘટના પર કડક પ્રતિક્રિયા આપી છે અને શ્રીલંકાના કાર્યકારી ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવીને આ કાર્યવાહી સામે ઔપચારિક વિરોધ વ્યક્ત કર્યો છે.
આ કાર્યવાહીને અસ્વીકાર્ય ગણાવતા, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આજે સવારે ડેલ્ફ્ટ ટાપુ નજીક 13 ભારતીય માછીમારોને પકડી લેતી વખતે શ્રીલંકાના નૌકાદળ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર વિશે તેમને જાણ કરવામાં આવી હતી. માછીમારી બોટમાં સવાર 13 માછીમારોમાંથી બેને ગંભીર ઈજાઓ થઈ છે અને હાલમાં તેઓ જાફના ટીચિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
અગાઉ પણ ૩૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી
આ પહેલા પણ શ્રીલંકન નૌકાદળ દ્વારા મોટી સંખ્યામાં ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. ગત રવિવારે, માહિતી પ્રકાશમાં આવી હતી કે, શ્રીલંકાના નૌકાદળે ઓછામાં ઓછા 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની બોટ પણ જપ્ત કરી હતી. તમિલનાડુના ધનુષકોડી નજીક માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા માછીમારોમાંથી 32 તમિલનાડુના અને 2 કેરળના છે. આ ઘટના બાદ, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કેન્દ્ર સરકારને આ મામલે નક્કર રાજદ્વારી પગલાં ભરવાની અપીલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech