રાજકોટ શહેરના કાલાવડ રોડને લાગુ અક્ષર માર્ગ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાર્ટર્સ માં એમ–૪૭માં કાર્યરત સોનલ પંજાબી ફડ પાર્સલમાં તાજેતરમાં મહાપાલિકાની આરોગ્ય શાખા અને ફડ શાખા દ્રારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતા ત્યાંથી કુલ ૫૭ કિલો જેટલો વાસી અને અખાધ પદાર્થેાનો જથ્થો મળી આવ્યો હતો જે જ કરીને તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ ત્યાં આગળ રહેલા પનીર અને બટરમાં પણ ભેળસેળ હોવાની શંકા જતા તેના સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં રવાના કરવામાં આવ્યા હતા.
વિશેષમાં સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસરએ સત્તાવાર વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અક્ષર માર્ગ, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ સોનલ પંજાબી પાર્સલ પેઢીની તપાસ કરતા પેઢીના કિચનમાં એકસપાયરી ડેટ વીતેલ સિંગતેલ અને દાજયું તેલ ૧૯ કિ.ગ્રા., વાસી મંચુરિયન ત્રણ કિ.ગ્રા, એકસપાયરી ડેટ વગરનું ઢોસાનું ખીં ૩૦ કિ.ગ્રા., વાસી અખાધ શાકભાજી તથા બાફેલા નુડલ્સ પાંચ કિ.ગ્રા.નો જથ્થો મળીને કુલ – ૫૭ કિ.ગ્રા. સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ સ્થળ પરથી પનીર અને બટરના સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech