બંને જિલ્લામાં થઇને ૪૫૬૧ ગ્રાહકોએ ૧૩૧ લાખના વિજ બીલ ભર્યા: બીલ નહીં ભરે તો કનેકશન કટ્ટ કરવા પીજીવીસીએલની અનેક ટીમો મેદાનમાં
જામનગર સહિત સમગ્ર હાલારમાં માર્ચ મહીના સુધીની રિકવરી પુરી કરવા માટે પીજીવીસીએલ દ્વારા જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં બાકી રહેલા બીલની રકમ ઉઘરાવવા અનેક ટીમોને સાથે રાખીને અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરુપે તા.૨૮ માર્ચના રોજ એક જ દિવસમાં ૬૦૦ વિજ જોડાણ કટ્ટ કરી નાખવામાં આવ્યા છે, આગામી દિવસોમાં જે લોકોએ બીલ નહીં ભર્યા હોય તેમના કનેકશનો કટ્ટ કરી નાખવામાં આવશે તેવું પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું.
પીજીવીસીએલ દ્વારા જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના વિસ્તારોમાં તા.૨૮ના રોજ ૫૧૬૧ વિજ જોડાણોમાં ૧૮૬ લાખની રકમની ચૂકવણી માટેનું અભિયાન હાથ ધરાયું હતું જેમાં ૪૫૬૧ ગ્રાહકોએ ૧૩૧ લાખની રકમ જમા કરી હતી. પીજીવીસીએલ દ્વારા અવારનવાર કહેવા છતાં બીલ ન ભરનાર ૬૦૦ વિજ જોડાણ કટ્ટ કરી નાખવામાં આવ્યા છે જેની રિકવરી રુા.૫૫ લાખ જેવી થાય છે. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું, તેઓએ ફરીથી જોડાણ મેળવવા માટે પીજીવીસીએલમાં અરજી કરવી પડશે, આમ પીજીવીસીએલ હવે રિકવરી કરવા માટે વધુ ટીમો મોકલીને માર્ચ મહીનાનો ટાર્ગેટ પુરો કરવાના મુડમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech