ગત લોકસભાની ચૂંટણીમાં 7797 લોકોએ કર્યો નોટાનો ઉપયોગ

  • April 29, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ર014 માં 6પ43 લોકોએ ઉમેદવારોને નકાયર્:િ છેલ્લી પાંચ ચૂંટણીમાં ર019માં સૌથી વધુ ર8 ઉમેદવારો મેદાનમાં હતા, આ વખતે 14 ઉમેદવારો


જામનગર લોકસભાની ચૂંટણી 7 મેના રોજ થઇ છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં પણ એવી અરજી થઇ છે કે, જો ઉમેદવારોના મત કરતા વધુ મત નોટામાં જાય તો શું કરવું ? જો કે આ અંગે હજુ ચૂંટણી પંચે કોઇ વાત ઉપર નિર્ણય જાહેર કર્યો નથી, ર014 માં 6પ43 નોટામાં મત આપ્યા, જ્યારે ર019 માં 1રપ4 વધીને ર019 માં 7797 લોકોએ ઉમેદવારોને નકાયર્િ હતા.


છેલ્લી પાંચ ચૂંટણીની વાત લઇએ તો ર019 માં સૌથી વધુ ઉમેદવારો એટલે કે ર8 ઉમેદવારો મેદાનમાં હતા, જો કે આ વખતે એનાથી અડધા 14 ઉમેદવારો મેદાનમાં છે, ર014 ની વાત લઇએ તો પાંચ ચૂંટણીમાં સૌથી ઓછા એટલે કે 10 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું, ર0રર માં તેનાથી 1ર ઉમેદવારો વધુ એટલે કે રર ઉમેદવારો મેદાનમાં હતા, ર014 ની વાત લઇએ તો રપ ઉમેદવારો મેદાનમાં હતા, ત્યારે ર019 માં ર8 ઉમેદવારો એ પોતાનું ભાવિ અજમાવવા પ્રયાસો કયર્િ હતા, આ વખતે ખરાખરીના જંગમાં ર0ર4 માં થનારી ચૂંટણીમાં 14 ઉમેદવારો એટલે કે ગયા વખતથી અડધા ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે, જો કે હજુ કોઇ ઉમેદવાર અન્ય ઉમેદવારોને ટેકો આપે તેવી પણ શક્યતા છે, પરંતુ હાલ તો ચૂંટણી પંચમાં 14 ઉમેદવારો નોંધાય ચૂક્યા છે.


જામનગર લોકસભાની બેઠકમાં જો કે હજુ સુધી નોટાના મત 8000 થી વઘ્યા નથી, ર014 માં કાલાવડમાં 9ર3, જામનગર ગ્રામ્યમાં 1000, જામનગર ઉત્તરમાં 1194, જામનગર દક્ષિણમાં 1134, જામજોધપુરમાં 761, ખંભાળીયામાં 761, દ્વારકામાં 743 એમ થઇી કુલ 6પ43 મત ર014 ની ચૂંટણીમાં નોટામાં ગયા હતા, ર019 ની ચૂંટણીમાં કાલાવડમાં નોટાના મત થોડા ઘટ્યા હતા અને 875 લોકોએ ઉમેદવારોને પસંદ કયર્િ ન હતા. 77-જામનગર ગ્રામ્યમાં ગઇ ચૂંટણીમાં 1ર8પ, 78-જામનગર ઉત્તરમાં 1411, 79-જામનગર દક્ષિણમાં 109ર, 80-જામજોધપુરમાં 872, 81-ખંભાળીયામાં 1078 અને 82-દ્વારકામાં 1043 લોકોએ ગઇ ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કર્યો હતો.


આમ ર014 માં 6પ43, 2019 માં 7797 લોકોએ નોટાનો ઉપયોગ કર્યો હતો, જામનગર લોકસભાની બેઠકમાં પહેલા વધુ ફોર્મ ભરાયા હતા, ત્યારબાદ પાંચ અપક્ષ સહિત પાંચ રાજકીય પક્ષના ઉમેદવારો હવે ચૂંટણીમાં રહ્યા નથી, આ ચૂંટણીમાં 14 ઉમેદવારો બાદ 1પમું બટન આવે તે નોટાનું રહેશે, આમ જોઇએ તો જામનગર ઉત્તર એટલે કે 78 ની બેઠક પર ગઇ ચૂંટણીમાં સૌથી વધુ 1411 મતો નોટામાં પડ્યા હતા, જો કે આ વખતે કદાચ નોટામાં મત પડવાની સંખ્યામાં વધારો થાય તેવી પણ શક્યતા છે. કલેકટર દ્વારા મતદાન વધુ થાય એ માટે ઠેર ઠેર અલગ અલગ અપીલ કરવામાં આવી છે અને લોકોને વ્હેલી સવારે જ મતદાન કરી લેવા વિનંતી કરે છે, ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ મતદાન શાંતિપ્રિય અને નિર્ભય રીતે થાય એ માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.


ખાસ કરીને મતદાન કરતી વખતે યોગ્ય આધાર પુરાવા રાખવા પણ અપીલ કરવામાં આવી છે, જિલ્લા કલેકટર બી.કે. પંડ્યા, દ્વારકાના કલેકટર જી.ટી. પંડ્યા, મ્યુ. કમિશ્નર દિનેશ મોદી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, ડીએમસી ડી.એ. ઝાલા સહિતના અધિકારીઓ ચૂંટણી ન્યાય અને મુકત રીતે એ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે, કેટલાક સ્થળોએ તંત્ર દ્વારા અનોખી મતદાન કંકોત્રી પણ બહાર પાડવામાં આવી છે, જેમાં મુર્હુતનો સમય 7 થી 6 દશર્વિવામાં આ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application