રાજકોટ શહેરમાં હવે દરરોજ કોરોનાના કેસ મળવા લાગ્યા છે, આજે શહેરમાંથી વધુ નવ કેસ મળ્યા છે. તા.૧૯-૫-૨૦૨૫થી આજ સુધીમાં કુલ ૬૧ કેસ નોંધાયા છે જેમાંથી ૧૮ દર્દી સાજા થયા છે, જ્યારે આજની સ્થિતિએ ૪૩ દર્દી સારવાર હેઠળ છે.
ક્યાં વિસ્તારોમાં નવા કેસ નોંધાયા
વિશેષમાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આજે (૧) વોર્ડ નં.૭માં રેસકોર્સ રિંગ રોડ નજીક ૨૬ વર્ષીય યુવાન (૨) વોર્ડ નં.૧માં રૈયારોડ ઉપર ૨૮ વર્ષીય યુવતી (૩) વોર્ડ નં.૧૩ મવડીના વડલી ચોકમાં ૨૮ વર્ષીય પુરૂષ (૪) વોર્ડ નં.૭ના રામકૃષ્ણ નગરમાં ૭૯ વર્ષીય પુરૂષ (૫) વોર્ડ નં.૧૧ના મોટા મવામાં બાવન વર્ષીય પુરૂષ (૬) વોર્ડ નં.૯ના રૈયા રોડ ઉપર ૨૮ વર્ષીય યુવાન (૭) વોર્ડ નં.૨માં શ્રોફ રોડ ઉપર ૧૯ વર્ષીય યુવાન (૮) વોર્ડ નં.૧૪માં ઢેબર રોડ ઉપર ૪૦ વર્ષીય યુવાન તેમજ (૯) વોર્ડ નં.૮માં અમિનમાર્ગ ઉપર ૫૭ વર્ષીય પુરૂષ કોરોના સંક્રમિત થયા છે.
ખાંસી- છીંક દરમિયાન નાક-મોં ઢાંકવું
મ્યુનિ.આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં હાલમાં જે કેસો જેવા મળે છે તે ઓમીક્રોનના પેટાં ટાઈપ વૈરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમાં દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે. હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વારથ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ખાંસી- છીંક દરમિયાન નાક-મોં ઢાંકવું.
જાહેર સ્થળોએ થુંકવું નહીં
જાહેર સ્થળોએ થુંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે કોવિડ અપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરવું. ખાસ કરીને કો-મોર્બીડ કડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો. કોવિડના કેસોમાં દર ૬ થી ૮ માસમાં રાઈઝીંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. સાવચેતી એજ સમજદારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech