રાજકોટ શહેરમાં તા.૧૯-૫-૨૦૨૫થી તા.૧૮-૬-૨૦૨૫ સુધીમાં કોરોનાના કુલ કેસ મળ્યા હતા જેમાંથી દર્દી સાજા થયા છે અને આજની સ્થિતિએ દર્દીઓ સારવાર હેઠળ છે.
આ વિસ્તારોમાંથી કોરોનાના કેસ મળ્યા
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કોરોનાના કેસની મ્યુનિસિપલ વોર્ડવાઇઝ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે આજે તા.૧૮ જુનને બુધવારના રોજ (૧) વોર્ડ નં.૪ના બેડીપરા વિસ્તારમાં અઝર બૈઝાનના પ્રવાસેથી પરત ફરેલા ૨૮ વર્ષીય યુવાન (૨) વોર્ડ નં.૮માં સિલ્વર એવન્યુ સોસાયટીમાં ૨૨ વર્ષીય યુવાન (૩) વોર્ડ નં.૧૭માં કોઠારીયા રોડના સુભાષ નગરમાં ૪૭ વર્ષીય યુવાન (૪) વોર્ડ નં.૧૨ મવડીના ગોવર્ધન ચોકમાં ૨૮ વર્ષીય યુવતી (૫) વોર્ડ નં.૯ના મીરાનગરમાં ૨૦ વર્ષીય યુવાન (૬) વોર્ડ નં.૩માં પરસાણા નગરમાં ૩૦ વર્ષીય યુવાન (૭) વોર્ડ નં.૧૩ની પંચશીલ સોસાયટીમાં ૯૦ વર્ષીય વૃધ્ધ (૮) વોર્ડ નં.૮ના લક્ષ્મીનગરમાં ૩૪ વર્ષીય યુવતી તેમજ (૯) વોર્ડ નં.૮ની પંચવટી સોસાયટીમાં ૫૯ વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયા છે અને હાલ હોમ આઇસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. તમામની તબિયત સ્ટેબલ છે.
સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું
વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં હાલમાં જે કેસો જેવા મળે છે તે ઓમીક્રોનના પેટાં ટાઈપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમાં દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે. હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ખાંસી- છીક દરમિયાન નાક-મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થુંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે કોવિડ અપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરવું. ખાસ કરીને કો-મોર્બીડ કડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો. કોવિડના કેસોમાં દર ૬ થી ૮ માસમાં રાઈઝીંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. સાવચેતી એજ સમજદારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસ.ઓ.જી. દ્વારા લાલપુર ખાતે NDPS અંગે સેમિનાર યોજાયો
June 18, 2025 07:13 PMદેવભૂમિ દ્વારકા..જિલ્લામાં ત્રણ વર્ષમાં રૂ.100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
June 18, 2025 06:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech