રાજકોટમાં મનાલીથી રિટર્ન સહિત 9ને કોરોના, બાલમુકુંદ પ્લોટ, ઇન્દ્રપ્રસ્થ નગર, નાના મવા સર્કલ સહિતના વિસ્તારોમાંથી કેસ મળ્યા

  • June 12, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં આજે કોરોનાના વધુ નવ કેસ મળતા મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં દોડધામ મચી ગઇ હતી અને તમામ દર્દીઓના પરિવારજનોના કોવિડ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


આ વિસ્તારોમાંથી નવા કેસો મળ્યા

વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય અધિકારીએ મ્યુનિસિપલ વોર્ડ વાઇઝ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, (૧) વોર્ડ નં.૧૩ની વિનય સોસાયટીમાં મનાલીના પ્રવાસેથી પરત ફરેલા ૫૯ વર્ષીય પુરૂષ (૨) વોર્ડ નં.૧૦માં બાલમુકુંદ પ્લોટમાં ૬૩ વર્ષીય પુરૂષ (૩) વોર્ડ નં.૧૧માં બિગબઝાર સામે ૫૭ વર્ષીય સ્ત્રી (૪) વોર્ડ નં.૧૪ ગુંદાવડીમાં ૨૪ વર્ષીય યુવાન (૫) વોર્ડ નં.૧૦ના તોરલ પાર્કમાં ૩૯ વર્ષીય સ્ત્રી (૬) વોર્ડ નં.૮ના ઇન્દ્રપ્રસ્થ નગરમાં ૩૬ વર્ષીય યુવાન (૭) વોર્ડ નં.૯માં રૈયા એક્સચેન્જ ચોક પાસેની સોમનાથ સોસાયટીમાં ૭૦ વર્ષીય પુરૂષ (૮) વોર્ડ નં.૧૧માં નાના મવા સર્કલ પાસે ૫૦ વર્ષીય પુરુષ તેમજ (૯) વોર્ડ નં.૩માં કોઠી કમ્પાઉન્ડમાં ૩૩ વર્ષીય યુવાન સહિતના નવ કોરોના સંક્રમિત થયા છે. તમામએ વેક્સિન લીધેલી છે. આ દર્દીઓ હાલ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે તેમજ તમામની તબિયત સ્ટેબલ છે.


રાજકોટમાં કુલ ૧૩૩ કેસ મળ્યા, ૭૭ સાજા થયા, ૫૬ સારવારમાં

રાજકોટમાં તા.૧૯-૫-૨૦૨૫થી આજે તા.૧૨-૬-૨૦૨૫ સુધીમાં કોરોનાના કુલ ૧૩૩ કેસ મળ્યા છે જેમાંથી ૭૭ દર્દી સાજા થયા છે અને આજની સ્થિતિએ ૫૬ દર્દી હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે. જ્યારે એક આઘેડનું કોરોનાથી મૃત્યુ થયું હતું.


મ્યુનિ.આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં હાલમાં જે કેસો જેવા મળે છે તે ઓમીક્રોનના પેટાં ટાઈપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમાં દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે. હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વારથ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ખાંસી- છીક દરમિયાન નાક-મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થુંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે કોવિડ અપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરવું. ખાસ કરીને કો-મોર્બીડ કડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો. કોવિડના કેસોમાં દર ૬ થી ૮ માસમાં રાઈઝીંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. સાવચેતી એજ સમજદારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application