આગામી તારીખ ૩૧ માર્ચે ગુજકેટ ની પરીક્ષા લેવાશે જેમાં રાજકોટ જિલ્લામાંથી ૯,૮૨૬ વિધાર્થીઓ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે પરીક્ષા આપશે.શિક્ષણ બોર્ડ દ્રારા ઈજનેરી– ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ૩૧ માર્ચે લેવાનારી ગુજકેટ માટે સ્થળ સંચાલકોના ઓર્ડર કરી દેવાયા છે. રાયમાં ૩૧ માર્ચે ૩૪ કેન્દ્રો પરથી ૧.૩૭ લાખ વિધાર્થી ગુજકેટ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેવાના છે. આ તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સ હોય તેની ચકાસણી કરવા પણ સ્થળ સંચાલકોને તાકીદ કરાઈ છે. શિક્ષણ બોર્ડ દ્રારા ૩૧ માર્ચે ગુજકેટ લેવાનાર છે. ગુજકેટમાં સમગ્ર રાયના ૧૩૭૭૦૦ વિધાર્થી નોંધાયા છે અને ૩૪ કેન્દ્રો પરથી સવારે ૧૦ વાગ્યાથી ૪ વાગ્યા દરમિયાન ગુજકેટ લેવામાં આવનાર છે.
ગુજકેટને લઇને શાળાના આચાર્યેાને સ્થળ સંચાલક તરીકેના આદેશ કર્યા છે. સ્થળસંચાલક તરીકે શાળાના આચાર્યએ જ ફરજ નિભાવવાની રહેશે, અન્ય કર્મચારીને કામગીરી સોંપી શકાશે નહીં. નજીકના કોઈ સગા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં ઉપસ્થિત થનાર નથી તે શરતે નિમણુકં સોંપઈ છે. રાજકોટ શહેર–જિલ્લામાં ૪૯ શાળાઓમાં ૪૯૩ બ્લોકમાં ૯૮૨૬ વિધાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. સ્કૂલના આચાર્યને સ્થળ સંચાલક તરીકેના ઓર્ડર ઈશ્યૂ કરાયા છે. જેથી ૨૮ માર્ચના રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મીટિંગમાં પરીક્ષાલક્ષી સૂચનો કરવામાં આવશે. ગુજકેટની પરીક્ષા હવે નજીકમાં જ છે ત્યારે આગામી દિવસોમાં શિક્ષણ બોર્ડ દ્રારા પણ ગુજકેટની પરીક્ષા માટેની હોલ ટિકિટ ઓનલાઈન અપલોડ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.આગામી સાહમાં વિધાર્થીઓને હોલ ટિકિટ મળી જાય તેવી વ્યવસ્થા કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં ગેસ લાઈન વિસ્ફોટ: ત્રણ ભડથું, એક ગંભીર
May 07, 2025 03:21 PMઆ તો થવાનું જ હતું, દેશ માટે આ ગર્વની ક્ષણ: પીએમ મોદી
May 07, 2025 03:18 PMસિંધુથી સિંદુર સુધી 5 દિવસમાં ભારતની 15 કાર્યવાહી, વાંચો પાકિસ્તાન સામે શું એક્શન લીધા
May 07, 2025 03:14 PMતમામ અર્ધલશ્કરી દળોની રજા રદ આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ
May 07, 2025 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech