સોશિયલ મીડિયા યુઝર્સએ ટ્રોલ કરતા આપ્યો ‘જડબાતોડ જવાબ’
એ.આર.રહેમાનને દિવંગત ગાયકોના અવાજને રિક્રિએટ કરવા પર ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના વિશે લોકો કોમેન્ટ કરી રહ્યા છે. તેની વચ્ચે તેમને તમામ ટ્રોલ્સને જવાબ આપ્યો છે. હવે એ.આર.રહેમાને કહ્યું છે કે તેમને જે પણ કર્યુ છે, તે પરમિશન લઈને કર્યુ છે.
જાણીતા સિંગર અને કમ્પોઝર એ.આર.રહેમાને લેટેસ્ટ સોન્ગને લઈ પોતાનું રિએક્શન આપ્યું છે. તાજેત્તરમાં જ એ.આર.રહેમાને એઆઈની મદદ લીધી હતી, જેના કારણે કેટલાટ લોકો તેમનાથી નારાજ હતા. હવે તેમને આ મુદ્દે પોતાનું રિએક્શન આપ્યું છે. રજનીકાંતની અપકમિંગ ફિલ્મ ‘લાલ સલામ’માં એક સોન્ગ છે, જેની પર ખુબ જ વિવાદ ચાલે છે. આ સોન્ગ માટે એઆઈની મદદથી દિવગંત ગાયક બંબા વાક્યા અને શાહુલ હમીદની અવાજને રિક્રિએટ કરવામાં આવ્યો છે.
એ.આર.રહેમાનને દિવંગત ગાયકોની અવાજને રિક્રિએટ કરવા પર ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના વિશે લોકો કોમેન્ટ કરી રહ્યા છે. તેની વચ્ચે તેમને તમામ ટ્રોલ્સને જવાબ આપ્યો છે. હવે એ.આર.રહેમાને કહ્યું છે કે તેમને જે પણ કર્યુ છે, તે પરમિશન લઈને કર્યુ છે. 29 જાન્યુઆરીએ ઓસ્કર વિજેતા એ.આર.રહેમાને આ વિવાદ પર પોતાનું નિવેદન આપ્યું છે.
પરમિશન લીધી અને પેમેન્ટ પણ આપ્યું: એ.આર.રહેમાન
તેમને પોસ્ટમાં જણાવ્યું કે ગીતને રિક્રિએટ કર્યા પહેલા તેમને દિવંગત સિંગર્સના પરિવારના લોકો પાસે પરવાનગી લીધી હતી અને સાથે જ તેમને પેમેન્ટ પણ આપવામાં આવ્યું છે. તેમને કહ્યું કે જો ટેક્નોલોજીનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો તે નુકસાનકારક નથી. હવે આ ટ્વીટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે.
યૂઝર્સના નિશાના પર આવી ગયા એ.આર.રહેમાન
સોશિયલ મીડિયા પર જ્યાં કેટલાક યુઝર્સે એ.આર.રહેમાનના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો તેમના વિશે ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો રહેમાનને સપોર્ટ કરતા કહ્યું કે હાલની દુનિયામાં જે કલાકાર નથી તેમની અમર અવાજને ફરીવાર જીવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ યુઝર્સ કહી રહ્યા છે કે તેમને દિવંગત ગાયકોનું અપમાન કર્યુ છે. સાથે જ અપકમિંગ સિંગર્સના કરિયર માટે આ એક અવરોધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech