કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સામે સગીરાના જાતીય શોષણનો કેસ

  • March 15, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા સામે પોલીસે એક ગંભીર કેસ દાખલ કર્યેા છે. માહિતી અનુસાર તેમની સામે સગીર છોકરીનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે તેમની સામે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ એફઆઈઆર પોકસો અને ૩૫૪ (એ) આઈપીસી હેઠળ દાખલ કરવામાં આવી છે.
બીએસ યેદિયુરપ્પાના કાર્યાલયે આ મામલે નિવેદન જાહેર કયુ છે અને આવા જ ૫૩ કેસોની યાદી જાહેર કરી છે, જે ફરિયાદકર્તાએ પહેલાથી જ અલગ–અલગ બાબતોને લઈને દાખલ કરી છે. યેદિયુરપ્પાના કાર્યાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે ફરિયાદીને આવી ફરિયાદો કરવાની આદત છે.
નોંધનીય છે કે બીએસ યેદિયુરપ્પા ૨૦૦૮ અને ૨૦૧૧માં કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુકયા છે, ત્યારબાદ મે ૨૦૧૮માં થોડા સમય માટે અને ફરીથી જુલાઈ ૨૦૧૯થી ૨૦૨૧ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂકયા છે. તેમણે ૨૦૨૧માં રાજીનામું આપ્યું હતું, પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે યેદિયુરપ્પા મચં પરથી રડી પડા અને કહ્યું કે રાયની જનતાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application