સુરતમાં ધો.8માં ભણતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂકાવી લીધાનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થિનીના પરિવારે સ્કૂલ સંચાલકો સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ઘટનાને પગલે પોલીસ દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, ગોડાદરા વિસ્તારમાં વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તાર રહેતી હતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ફી નહીં ભરવાને લઇને વિદ્યાર્થિનીને બે દિવસ સ્કૂલ સંચાલકોએ ટોઇલેટ પાસે ઊભી રાખી હતી. ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અનેક વખત આવો વહેવાર સ્કૂલ સંચાલકો દ્વારા કરી બાદમાં દબાણ કરતા હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.
પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે, સ્કૂલની વાંરવારની આવી હરકતથી આખરે કંટાળીને વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થિનીના આપઘાત પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થિનીના પિતાનો સ્કૂલ પર ગંભીર આક્ષેપ
મૃતક વિદ્યાર્થિનીના પિતા રાજુ ખટીકે કહ્યું હતું કે, ઉત્તરાયણ પહેલા મારી દીકરીની પરીક્ષા હતી તો સ્કૂલે પરીક્ષા આપવા દીધી ન હતી. સ્કૂલમાં તેને ક્લાસની બહાર ઊભી રાખવામાં આવી હતી. ઘરે આવીને રડવા લાગી હતી. મેં ફોન કર્યો તો મને કહ્યું કે, તમારી ફી ભરવાની બાકી છે. જેથી મેં આવતા મહિને ફી ભરવા માટે કહ્યું હતું. ત્યારબાદ દીકરી સ્કૂલે જવાની ના પાડતી હતી અને બાદમાં તેને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. સ્કૂલ વાળા છોકરાઓને ટોર્ચર કરે, કોઈની મજબૂરી હોય મોડું થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech