ભારતમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યા 2,20,000થી વધુ થઈ ગઈ છે. છેલ્લા એક દાયકામાં પાંચ ગણો આશ્ચર્યજનક વધારો થયો છે. વધુ રસપ્રદ વાત એ છે કે કોવિડ પછીથી માત્ર ત્રણ વર્ષમાં 100,000 લોકો કરોડપતિ કરદાતાઓની હરોળમાં જોડાયા છે. ટેક્સ નિષ્ણાતોએ કરોડપતિ કરદાતાઓની સંખ્યામાં વધારો થવા પાછળ અનેક પરિબળોને જવાબદાર ગણે છે. તેમાં ઝડપથી વધી રહેલું શેરબજાર, પસંદગીની કંપ્નીઓમાં જંગી નફો, પગારમાં જંગી વધારો અને અન્ય કંપ્નીઓમાંથી ટેલેન્ટ ખેંચવા, કરવેરાના કડક નિયમો અને કર નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે.
ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયાએ કહ્યું ’એઆઈ-આધારિત ટેક સેક્ટર, ગ્રીન એનજીર્, વ્યાવસાયિક સેવાઓ, ઊભરતાં ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સમાં અનુભવ અને કૌશલ્યની માંગમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે શેરબજારની તેજીથી ઘણા વરિષ્ઠ અધિકારીઓને પણ ઘણો ફાયદો થયો છે.
પીડબ્લ્યુસી ઇન્ડિયાના પાર્ટનર રાનેન બેનજીર્એ કહ્યું કે કોવિડ પછી કોર્પોરેટ્સમાં રાજીનામાની લહેરથી વર્ષનાં મધ્યમાં તેમને 20 થી 30% પગાર વધારવાની ફરજ પડી હતી. તે ઘણા પગારદાર આવકવેરાદાતાઓને કરોડનો આંકડો પાર કરવામાં પણ ફાળો આપે છે.’
ઇવાયના વરિષ્ઠ સલાહકાર સુધીર કાપડિયા કહે છે કે કોવિડ દરમિયાન કંપ્નીઓના નફામાં ઉછાળો આવ્યો હતો. શેરધારકોને મળતા ડિવિડન્ડમાં પણ વધારો થયો. 2020-21થી ડિવિડન્ડ ઇન્કમ કરપાત્ર બનતા ઘણા લોકો રૂ. 1 કરોડના ટેક્સ બ્રેકેટમાં આવ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech