અમદાવાદમાં થયેલી એક ભયાનક પ્લેન દુર્ઘટનામાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. આ કરુણ ઘટનાથી સમગ્ર રાજ્ય શોકમાં ગરકાવ થઈ ગયું છે.
મહેંદીમાં શું જોવા મળે છે
આ દુર્ઘટનામાં દિવંગત વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટની યુવતી વિભૂતિ વેકરિયાએ એક અનોખો પ્રયાસ કર્યો છે. વિભૂતિએ મહેંદી ડિઝાઈન દ્વારા આ દુર્ઘટનાને યાદ કરી છે. તેણે પોતાની મહેંદીમાં એર ઈન્ડિયાના પ્લેન અને જે બિલ્ડિંગ સાથે તે ટકરાયું તે દર્શાવ્યું છે. આ ઉપરાંત, તેણે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની છબી પણ મહેંદીમાં કંડારીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
વિભૂતિની આ કલાકૃતિ માત્ર એક કલાત્મક અભિવ્યક્તિ નથી, પરંતુ દુર્ઘટનાના ભોગ બનેલા લોકો પ્રત્યેની સંવેદના અને તેમને યાદ રાખવાનો એક હૃદયસ્પર્શી પ્રયાસ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech