મોટા પીર એટલે કે ગૌષે આઝમની આજે ૧૧મી શરીફ નિમિતે ઇદ-એ-ગૌષીયાની શહેરભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, શનિવારે મોટી રાત્રે મસ્જીદોમાં જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં.
ગૌષે પાકની બાલ મુબારકની ઝીયારત કરાવવામાં આવી હતી, ઘરોમાં ખત્મે દુરૂદ, સહિતના કાર્યક્રમો થયા હતાં અને મુસ્લિમ બિરાદર દ્વારા એકમેકને ઇદ-એ-ગૌષીયાની મુબારકબાદી પાઠવવામાં આવી હતી, આ તકે સાયનપીર ચોકથી ઝુલુસ નિકળ્યું હતું જે નિયત રૂટ પર ફરીને દરબારગઢ ખાતે સમાપ્ત થયું હતું. અલમદદ પીરાને પીર ગૌષે આઝમ દસ્તગીરના નારા ગુંજી ઉઠયા હતાં.