નૂતન ધ્વજારોહણ સાથે સંતવાણીમાં થયેલી ઘોર છાત્રાલય માટે અર્પણ
ગાંધીનગરના નિજાનંદ ગ્રુપના ડાયાભાઈ ભરવાડ અને હીરાભાઈ ભરવાડ દ્વારા ભરવાડ સમાજ માટે એક નવી શૈક્ષણિક ક્રાંતિ માટે પગલું ભરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાજેતરમાં દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના ધ્વજારોહણ કાર્યક્રમ નિમિત્તે યોજાયેલા સંતવાણી કાર્યક્રમમાં પૂ. રાજેન્દ્રદાસબાપુ, શ્રી 1008 ઘનશ્યામપુરીબાપુ તથા અનેક સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં આ સુંદર પ્રસંગ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ‘સંતવાણી’માં થયેલી ઘોરની રકમ ખંભાળિયામાં ભરવાડ સમાજની નિર્માણાધીન કુમાર છાત્રાલય માટે અર્પણ કરવાનો સંકલ્પ કરી કરવામાં આવ્યો હતો. આ પવિત્ર સંકલ્પ દ્વારા હીરાભાઈ અને ડાયાભાઈ ભરવાડે સમાજને એક નવી દિશા દેખાડી છે. જેમાં વર્તમાન સમયમાં ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ લાવવી અત્યંત જરૂરી છે.
આ પહેલ માત્ર શૈક્ષણિક વિકાસ માટે જ નહીં, પરંતુ ભવિષ્યના સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે. “ધાર્મિક કાર્ય સાથે શૈક્ષણિક વિકાસનો સમન્વય” એ હવે સમયની માંગ છે. આ નવી શરૂઆત ભરવાડ સમાજ માટે મજબૂત પાયો ધરાવતું એક દિશાદર્શક પગલું સાબિત થશે, જે સમાજ માટે અનુસરવા યોગ્ય માર્ગ છે. તેવા પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવ્યા હતા.
ભરવાડ જ્ઞાતિના બાળકો માટેના આ કુમાર છાત્રાલયના નવનિર્માણમાં આ ઉપરાંત પણ નિજાનંદ ગ્રુપ તરફથી આ હોસ્ટેલમાં ખૂબ જ મોટો સહયોગ સાંપળ્યો છે. ત્યારે હીરાભાઈ ભરવાડ અને ડાયાભાઈ ભરવાડના અને સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભરવાડ સમાજ અને હોસ્ટેલના ટ્રસ્ટી મંડળ તરફથી ભરવાડ સમાજના શૈક્ષણિક ભવિષ્યની ચિંતા કરતા આ બંને મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech