પોલીસે હુમલો કરવા આવનાર શખ્સ સામે ગુનો દાખલ કર્યો: સમગ્ર બનાવનો વિડીયો શહેરમાં વાયરલ થયો
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે વાહનો અથડાયા પછી એક વાહન ચાલક ઉશ્કેરાયો હતો, અને જમીન પરથી મોટો પથ્થર ઉપાડીને અન્ય વાહનચાલક ને મારવા માટે દોડ્યો હતો. જેનો વિડીયો શહેરમાં વાયરલ થયો હતો. પોલીસે તે આરોપીને પકડી લઈ તેની સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નવા નાગના ગામમાં રહેતો ભગવાનજીભાઈ સુરેશભાઈ નકુમ નામનો ૨૬ વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા મહેશ પ્રવીણભાઈ ખાનીયા નામના અન્ય એક શખ્સ સાથે વાહન અથડાવવા બાબતે તકરાર થઈ હતી.
જે તકરાર બાદ મહેશ ખાનિયા ઉસકેરાયો હતો, અને જમીન પર પડેલો એક મોટો પથ્થર ઉચકીને ભગવાનજી નકુમને મારવા માટે દોડ્યો હતો. જે અંગેનો કોઈએ મોબાઇલમાં વિડીયો બનાવી લીધો હતો, અને ગઈકાલે શહેરભરમાં તે વીડિયો વાયરલ થયો હતો. જોકે ભગવાનજીભાઈ ભાગી છુટ્યો હોવાથી બચી ગયો હતો.
પરંતુ આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને સિટી એ. ડિવિઝન પોલીસે પથ્થર લઈને હુમલો કરવા આવનાર મહેશ ખાનિયા સામે ભગવાનજીભાઈ નકુમની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલ : PGVCLની પ્રિમોન્સુન કામગીરીની ખુલી પોલ
June 17, 2025 11:19 AMઅરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
June 17, 2025 11:19 AMઅમરેલી : સ્કૂલ બસ પાણીમાં ફસાય, લોકોનું કરાયું રેસ્ક્યૂ
June 17, 2025 11:18 AMપોરબંદરમાં સમયગૃપ દ્વારા રામધુન સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
June 17, 2025 11:16 AMપોરબંદરના આર્ય સમાજ ખાતે શાંતિ હવન યોજાયો
June 17, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech