રાજકોટના બેડલા ગામે વાડીએ ખેતીકામ કરતા સમયે ખેડૂત પરિવારના મહિલાને ઝેરી જનાવર કરડી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે તે મહિલાનું મોત થયું હતું. મહિલાના પતિનું કોરોનાથી અવાસન થયું હતું.જયારે હવે તેમનું પણ મૃત્યુ થતા બે સંતાનો અનાથ બન્યા છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વાવણી લાયક વરસાદ વચ્ચે રાજકોટના કુવાડવા પાસેના બેડલા ગામે રહેતાં ભાનુબેન ભરતભાઈ ગોહેલ (ઉ.વ.૪૨) નામના મહિલા ગત સવારે આઠેક વાગ્યે પોતાની વાડીમાં વાવણીનું કામ કરી રહ્યા હતાં ત્યારે એકાએક બેભાન થઇ પડી ગયા હતાં. પરિવારજનો દોડી જતાં તપાસ કરતાં કોઇ જનાવર કરડી ગયાનું જણાતાં તુરત જ તેમને બેભાન હાલતમાં કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતાં.
પરંતુ સારવાર દરમિયાન ભાનુબેનનું મૃત્યુ નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એમ. બી.મીસ્ત્રી સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટ ખસેડયો હતો. મૃત્યુ પામનાર ભાનુબેનને સંતાનમાં બે પુત્ર છે. તેમના પતિનું કોરોના વખતે અવસાન થયું હતું. પિતા બાદ હવે માતાને પણ ગુમાવી દેતાં બંને સંતાનો માતાપિતા વિહોણા બન્યા છે. બનાવને લઇ પરિવારમાં કલ્પાંત છવાય ગયો હતો.
રતનપરના મહિલાનું હાર્ટએટેકથી મોત
મોરબી રોડ પર આવેલા કુવાડવા પાસેના રતનપર ગામે રહેતાં જ્યોત્સનાબેન ત્રિકમભાઇ ચૌહાણ (ઉ.વ.૪૫) સાંજે સાડા સાતેક વાગ્યે ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ટુંકી સારવારને અંતે મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર જ્યોત્સનાબેનના પતિ ત્રિકમભાઇ મારવાડી કોલેજમાં સિક્યુરીટી ગાર્ડની નોકરી કરે છે. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હાર્ટએટેકથી તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, શક્તિસિંહ, પ્રશાંતભાઇએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. લક્ષમણભાઇ મહાજને જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech