રાજકોટના મોરબી રોડ પર મહેશ્વરી પાર્કમાં રહેતા કારચાલક પટેલ આધેડનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું.આધેડ એગ્રો દવાનો વેપાર કરતા હોય દવા લેવા માટે નીકળ્યા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે કુવાડવા પોલીસને બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે નાગબાઈ મંદિર પાસે નવ જ્યોત સ્કૂલ નજીક મહેશ્વરી પાર્ક શેરી નંબર-3 માં રહેતા મુકેશભાઈ ધનજીભાઈ ડોબરીયા (ઉ.વ 45) નામના પટેલ આધેડ ગઈકાલ રાત્રિના કાર નંબર જીજે 3 કેસી 1507 લઇ બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા હતા ત્યારે અહીં રાઘવ હોટલ પાસે પહોંચતા સામેથી મહિન્દ્રા બોલેરો પીકપ વાહન નંબર જીજે 09 વાય 8471 ના ચાલકે પુરપાટ ઝડપે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી કાર સાથે અકસ્માત સર્જ્યો હતો.
અકસ્માતની આ ઘટનામાં મુકેશભાઈ ડોબરીયાને ગંભીર ઇજા પહોંચી હતી. દરમિયાન 108 ને જાણ કરી દેવામાં આવતા 108 ના ઇએમટીએ અહીં આવી જોઈ તપાસી આધેડને મૃત જાહેર કર્યા હતા. બનાવવાની જાણ થતા મૃતકના પરિવારજનો અહીં પહોંચ્યા હતા. બીજી તરફ કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ પણ અહીં આવી પહોંચ્યો હતો પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, મુકેશભાઈ ડોબરીયા ત્રણ ભાઈના પરિવારમાં સૌથી નાના હતા અને તેઓ છૂટક ઈલેક્ટ્રીક કામ તથા એગ્રીકલ્ચરની છુટક દવાનું વેચાણ કરતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે તેઓ એગ્રોની દવા લેવા માટે ઘરેથી નીકળ્યા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે મૃતકના મોટાભાઈ અરવિંદભાઈ ધનજીભાઈ ડોબરીયા (ઉ.વ 48 રહે. તિરૂપતિ બાલાજી સોસાયટી શેરી નંબર-3, કોઠારીયા રિંગ રોડ, ગોંડલ ચોકડી પાસે રાજકોટ, મૂળ ભાડલા તા. જસદણ) ની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે બોલેરો નંબર જીજે 09 વાય 8471 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech