છાયા ચોકી રોડ પર અગાસી પરથી અકસ્માતે પડતા આધેડનું થયુ મોત

  • May 03, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના છાયા રોડ પર અકસ્માતે અગાસી પરથી પડી જતા આધેડનું મોત થયુ છે.સરકારી ભાવસિંહજી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. વરુણ મહેતાએ કમલાબાગ પોલીસમથકમાં એવું જાહેર કર્યુ છે કે છાયા રોડ પર રોનક ફલેટ પાછળ રહેતા રાજેશ કનૈયાલાલ સોમાણી ઉ.વ. ૫૭  તા. ૧-૫ના અગાસી ઉપરથી પડી ગયા હતા. પાંચ-છ વર્ષથી શરીરમાં નબળાઇ સહિત મગજની બીમારી અને હાથમાં કંપનની બીમારીથી પીડાતા હતા અને રાજેશભાઇ તેમના ઘરેજ અગાસી પરથી અકસ્માતે પડી ગયા હોવાથી ભાવસિંહજી હોસ્પિટલે લવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયુ હતુ આગળની તપાસ કમલાબાગ પોલીસ  ચલાવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application