બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં સ્થિત સોન ભંડાર ગુફામાં એક રહસ્યમય ખજાનો છુપાયેલો છે, જેને હરિયાંકા વંશના પ્રથમ રાજા બિંબિસારની પત્નીએ છુપાવ્યો હતો. ઈતિહાસકારોના મતે, જ્યારે બિંબિસારને તેના પુત્ર અજાતશત્રુ દ્વારા બંદી બનાવી લેવામાં આવ્યો ત્યારે બિંબિસારની પત્નીએ આ ગુફામાં રાજાનો ખજાનો છુપાવી રાખ્યો હતો.
સોન ભંડાર ગુફામાં બે મુખ્ય ગુફા છે. પહેલી ગુફાનું કદ 10.4 મીટર લાંબું અને 5.2 મીટર પહોળું છે, જેમાં ખજાનાની રક્ષા માટે સૈનિકો તૈનાત હતા. આ રગુફામાંથી એક બીજી ગુપ્ત ગુફામાં પહોંચી શકાય છે, જે એક વિશાળ ખડકથી ઢંકાયેલ છે. આ ખજાનો આ ખડકની પાછળ છુપાયેલો હોવાનું માનવામાં આવે છે પરંતુ હજુ સુધી તેને ખોલવામાં કોઈ સફળ થયું નથી. એવું કહેવાય છે કે શંખલિપીમાં છુપાયેલી ભાષા દ્વારા જ તેને ડીકોડ કરી શકાય છે. સ્થાનિક કર્મચારીઓ કહે છે કે સરકાર તેનું રક્ષણ કરે છે. કારણકે જો તે ખોદવામાં આવે અથવા ગુફા તૂટી જાય તો જ્વાળામુખી 50 કિમી સુધી ફાટી નીકળશે અને રાજગીરને નષ્ટ કરશે.
અંગ્રેજોએ પણ આ રહસ્યમય ખજાના સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. તોપના ગોળાનો ઉપયોગ કરીને આ ગુફાને ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. આજે પણ ગુફા પર શેલના નિશાન જોઈ શકાય છે. ગુફાની દીવાલ પર શંખ લિપિમાં કંઈક લખેલું છે, જે ખજાનાના રહસ્યોને ઉજાગર કરવાનો સંકેત માનવામાં આવે છે પરંતુ તેની ભાષા અને અર્થ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. સોન ભંડાર ગુફાની આસપાસ અન્ય પ્રાચીન ગુફાઓ છે. જેમાં મૌર્ય કાળ અને ગુપ્ત વંશની કલાકૃતિઓ જોઈ શકાય છે. માત્ર 15 વર્ષની વયે 543 બીસીમાં મગધની ગાદી સંભાળનાર બિંબિસારે તબકે રાજગૃહ (હાલનું રાજગીર) બંધાવ્યું હતું.
વાયુ પુરાણ અનુસાર હરિયાંકા વંશના શાસનના લગભગ 2500 વર્ષ પહેલા મગધ પર સમ્રાટ વૃહદ્રથનું શાસન હતું. જેના પછી તેમના પુત્ર જરાસંધે સિંહાસન સંભાળ્યું. જરાસંધને ચક્રવર્તી સમ્રાટ બનવા માટે 86 રાજ્યોને હરાવવાનો શ્રેય છે. રાજગીરની સોન ભંડાર ગુફા તેના રહસ્યમય ખજાના અને ઐતિહાસિક મહત્વને કારણે એક આકર્ષક સ્થળ બની રહે છે, જે પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિની મહત્વની કડી પૂરી પાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech