રાજકોટના મવડી વિસ્તારમાં રહેતી પરિણીતા ભેસાણના ઢોળવા ગામે સાસરિયાના ઘરે હતી ત્યારે પાણી ભરતી વખતે અચાનક ચક્કર આવતા પડી ગઈ હતી અને તેને બેભાન હાલતમાં પ્રથમ જેતપુર અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવતા દમ તોડી દીધો હતો. પરિણીતા ગર્ભવતી હતી અને પતિ સાથે સસરાના ઘરે આટો દેવા ગઈ હતી ત્યારે બનાવ બન્યો હતો. પરિવારજનોએ અટેક આવી ગયાનું જણાવ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મવડી ચોકડી પાસે વિશ્વેશ્વર સોસાયટીમાં રહેતી મનીષાબેન ગોપાલભાઈ સોલંકી (ઉ.વ.27) નામની સગભર્િ ગઈકાલે બપોરે ભેંસાણના ઢોળવા ગામે રહેતા સસરાના ઘરે હતી ત્યારે પાણી ભરતી વખતે અચાનક ચક્કર આવતા ઢળી પડી હતી અને તાકીદે તેને પ્રથમ ભેંસાણ બાદ જેતપુરની સંજીવની હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર મનીષાબેનના લગ્ન થયાને આઠ વર્ષ જેટલો સમય થયો હતો અને સંતાનમાં એક દીકરો-દીકરી છે અને ત્રણ માસનો ગર્ભ પણ હતો. પતિ શાકભાજીની લારી ધરાવે છે. દંપતી બે-ત્રણ દિવસ પહેલા ભેસાણના ઢોળવા ગામે રહેતા સાસરિયાના ઘરે આટો દેવા ગયા હતા અને ગઈકાલે અચાનક બેભાન થઇ જતા મોત નીપજ્યું હતું. મોતનું કારણ જાણવા પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પ્રાથમિક રીતે હાર્ટ અટેક આવી ગયાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech