શહેરના રામમંત્ર મંદિર નજીક આવેલ પેટ્રોલપંપના કર્મીઓએ સિંધી પરિવારના છ વર્ષિય બાળકને માથાના ભાગે પાઇપ ઝીંકી ગંભીર ઈજા કરવાના મામલે ઝડપાયેલા પેટ્રોલપંપના બન્ને કર્મચારીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા તેમજ તેની સામે પોલીસે માત્ર હળવી કલમ લગાવી હોવાના આક્ષેપ સાથે સિંધી સમાજ દ્વારા પોલીસવાડા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. દરમ્યાન સર ટી.હોસ્પિટલ દ્વારા ઈજાગ્રસ્ત બાળકનું મેડીકલ સર્ટિફિકેટ કોર્ટમાં રજુ કરતા, સર્ટિફિકેટમાં ફ્રેક્ચર હોવાનું ખુલતા, મહાવ્યથાને લઈ કોર્ટે સર ટી.ના તબિબ અને નિલમબાગ પોલીસને નોટીસ મોકલી ગંભીર મારમાર્યાની કલમની ઉમેરો કરવાનો આદેશ અપાયો હતો જે બાદ પોલીસ દ્વારા ૧૧૮(૨) ની કલમ ઉમેરો કરી. તપાસના કાગળો કોર્ટમાં રજુ કરાયા હતા.
શહેરમાં થોડાક દિવસ અગાઉ રામમંત્ર મંદિર નજીક આવેલ એચ.પી. પેટ્રોલ પંપમાં સિંધી પરિવાર છ વર્ષિય બાળકને લઈ તેમની મોટર સાયકલમાં પેટ્રોલ પુરાવા ગયા હતા. જ્યાં ટાંકીનું ઢાંકણું ખોલવા મામલે પેટ્રોલ પંપના કર્મચારીઓએ પરિવાર સાથે બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો અને આ ઝઘડા દરમ્યાન કર્મચારીઓ ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા.જેમાં પંપની ઓફિસમાંથી લોખંડનો પાઈપ લાવી પરિવારના છ વર્ષિય પુત્ર અયાંશને માથાના ભાગે પાઈપ ઝીંકી, ગંભીર ઈજા કરી ફરાર થયા હતા.
જે મામલે બાળકના પિતા નિતેશભાઈએ નિલમબાગ પોલીસ મથકમાં મનજી ગોહિલ, પ્રવિણ ચૌહાણ તેમજ મેનેજર કેતન પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે નીલમબાગ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
પરંતુ આરોપીઓ સામે નિલમબાગ પોલીસના તપાસનીશ અધિકારીએ નબળી કલમ ઉમેરી, આરોપીઓને છાવરતા હોવાની ફરિયાદીને સાથે રાખી ભાવનગર સિંધી સમાજ દ્વારા પોલીસ વડા સમક્ષ આક્ષેપ સાથે રજુઆત કરાઈ હતી. અને ઉચ્ચ કક્ષાએ કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. જે બાદ સર ટી. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા બાળકનું મેડીકલ સર્ટિફિકેટ ભાવનગર કોર્ટમાં રજૂ કરાયુ હતું.
જે સર્ટિફિકેટમાં બાળકને મગજના ભાગે ફ્રેક્ચર હોવાનું ખુલવા પામતા કોર્ટે મહાવ્યથાની કલમ ઉમેરવા સર ટી.ના તબિબ તેમજ નિલમબાગ પોલીસને નોટિસ ફટકારી હતી. જે નોટિસમાં મહાવ્યથાની કલમનો ઉમેરો કરવા હુકમ આપવામાં આવતા નિલમબાગ પોલીસના તપાસનીશ અધિકારી એ.વી. બકુત્રાએ વધુ તપાસ કરી જેલમાં રહેલ બંન્ને આરોપીઓ વિરૂદ્ધ ૧૧૮(૨)ની કલમનો ઉમેરો કરી. તપાસના કાગળો કોર્ટમાં રજુ કર્યા હતા.
નિતેશભાઈએ નિલમબાગ પોલીસ મથકમાં મનજી ગોહિલ, પ્રવિણ ચૌહાણ તેમજ મેનેજર કેતન પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે નીલમબાગ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
પરંતુ આરોપીઓ સામે નિલમબાગ પોલીસના તપાસનીશ અધિકારીએ નબળી કલમ ઉમેરી, આરોપીઓને છાવરતા હોવાની ફરિયાદીને સાથે રાખી ભાવનગર સિંધી સમાજ દ્વારા પોલીસ વડા સમક્ષ આક્ષેપ સાથે રજુઆત કરાઈ હતી. અને ઉચ્ચ કક્ષાએ કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. જે બાદ સર ટી. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા બાળકનું મેડીકલ સર્ટિફિકેટ ભાવનગર કોર્ટમાં રજૂ કરાયુ હતું.
જે સર્ટિફિકેટમાં બાળકને મગજના ભાગે ફ્રેક્ચર હોવાનું ખુલવા પામતા કોર્ટે મહાવ્યથાની કલમ ઉમેરવા સર ટી.ના તબિબ તેમજ નિલમબાગ પોલીસને નોટિસ ફટકારી હતી. જે નોટિસમાં મહાવ્યથાની કલમનો ઉમેરો કરવા હુકમ આપવામાં આવતા નિલમબાગ પોલીસના તપાસનીશ અધિકારી એ.વી. બકુત્રાએ વધુ તપાસ કરી જેલમાં રહેલ બંન્ને આરોપીઓ વિરૂદ્ધ ૧૧૮(૨)ની કલમનો ઉમેરો કરી. તપાસના કાગળો કોર્ટમાં રજુ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech