શહેરના પરસાણાનગર વિસ્તારમાં રહેતા અને જંકશન મેઇન રોડ પર મોબાઇલની દુકાન ધરાવનાર વેપારી યુવાને વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે પાંચ શખસો વિરુદ્ધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પરસાણાનગર શેરી નં.૨ માં રહેતા અને જંકશન મેઇન રોડ પર શકિત મોબાઇલ નામની દુકાન ધરાવનાર સિંધી વેપારી ભાવીન ઘનશ્યામભાઇ ધરમાણી(ઉ.વ ૨૩) નામના વેપારી યુવાને પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેશ ગૌસ્વામી, સદ્દામ દલવાણી, કિર્તીરાજ, હરેશ પારવાણી, સલમાન વીકીયાણીના નામ આપ્યા છે.
યુવાન પર આશરે 9 થી 10 લાખનું દેણું થઈ ગયું
યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે ૪૦ દિવસ પૂર્વે ધર્મેશ પાસેથી ડાયરી વ્યાજે રૂ. ૧.૯૦ લાખ લીધા હતાં. અઢી માસ પૂર્વે સદ્દામ પાસેથી મિત્રના રાહુલના નામે રૂ.૪૦ હજાર અને આકાશના નામે રૂ.૮૦ હજાર અને પોતાના નામે રૂ. ૫૦ હજાર મળી કુલ રૂ.૧.૭૦ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતાં. કિર્તીરાજ પાસેથી રૂ. છ સાત મહિના પૂર્વે રૂ. ૨ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતાં. હરેશ પારવાણી પાસેથી ચાર મહિના પહેલા ડાયરી વ્યાજે રૂ. દોઢ લાખ લીધા હતા જેમાંથી 50,000 જેટલા ચૂકવ્યા છે તેમજ સલમાન વીકયાણી પાસેથી એક મહિના પહેલા ડાયરી વ્યાજે મિત્ર મોહિતના નામે 50,000 તથા પોતાના નામે 50,000 એમ કુલ 1,00,000 લીધા હતા જેમાંથી 60 હજાર ચૂકવી દીધા છે. યુવાન પર આશરે 9 થી 10 લાખનું દેણું થઈ ગયું હોય તેમજ આ તમામ શખસો વારંવાર ફોન કરી તથા રૂબરૂમાં ગાળો બોલી ધમકીઓ આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હતા.
મારા તમામ પૈસા આપી દેજે નહીંતર તને જાનથી મારી નાખીશ
ગઈકાલે સાંજે ધર્મેશ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, તને 24 કલાક આપું છું મારા તમામ પૈસા આપી દેજે નહીંતર તને જાનથી મારી નાખીશ તેમજ નિયમિત વ્યાજનો ચૂકવી શકવાના લીધે ધર્મેશ ગત તા. 23/4 ના યુવાનની બલેનો કાર પણ લઈ ગયો હોય અને પરત આપતો ન હોય અને આ શખસો વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય જેનાથી કંટાળી યુવાને પોતાની દુકાને ઝેરી જંતુનાશક દવાનું એક ઢાંકણુ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ મામલે આ પાંચેય શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મની લેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech