ગોંડલના ભગવતપરામાં આર્થિકભીંસના કારણે યુવાનનો ઝેરી દવા પી આપઘાત
ગોંડલના ભગવતપરામાં આર્થિકભીંસના કારણે યુવાનનો ઝેરી દવા પી આપઘાત
May 29, 2026 01:57 PM
ગોંડલનાં ભગવતપરામાં રહેતા યુવાને પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ સારવાર કારગત નહી નિવડતા તેનું મોત નિપજયું હતું. બનાવની પ્રા વિગત મુજબ ભગવતરામાં રહેતાં અને માર્કેટયાર્ડમાં મજુરીકામ કરતા જીજ્ઞેશભાઈ ધીભાઈ ભેડા નામનાં યુવાને બપોરનાં સુમારે પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ડો.સુખવાલા હોસ્પિટલ ખસેડાયો હતો.યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા પરીવાર શોકમ બન્યો હતો. મૃતક જીજ્ઞેશભાઈ પરણિત હતા.લ થયે ત્રણ વર્ષ થયા હતા.સંતાન માં બે વર્ષનો દિકરો છે. જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે. જીજ્ઞેશભાઈ ત્રણ ભાઇઓનાં પરીવારમાં નાના હતા. પરીવારનાં જણાવ્યાં મુજબ દોઢ વર્ષ પહેલા બીજા નંબરનાં ભાઇ એ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યેા હતો. ટુંકા સમય માં એક પરીવાર નાં બીજા દિકરાએ પણ આપઘાત કરતા પરીવાર હતપ્રત બન્યો હતો. જીજ્ઞેશભાઈ એ આર્થિક સંકડામણથી પગલુ ભર્યાનું પોલીસે જણાવ્યું હતું