ભાવનગર મહાનગર પાલિકાના ધાબા ઉપરથી જુની માણેકવાડીના આધેડે મોતની છલાંગ લગાવી લીધી હતી. આધેડે ઝંપલાવતા સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા વીડિયો વાયરલ થયો હતો. પોલીસ તપાસ દરમિયાન આધેડના માતા એક અઠવાડિયા પુર્વે મૃત્યું પામ્યા હોય અને તેને બિમારીનું નિદાન ન થતા ભાંગી પડો હતો જેને લઈ પોતાની જીંદગીનો અતં આણ્યો હતો. બનાવને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા.
ભાવનગર મહાનગર પાલિકામાં ગઈકાલે બપોરે ૩.૧૫ કલાકના અરસા દરમિયાન જુની માણેકવાડી વિસ્તારમાં રત્ના પ્રિન્ટીંગ પ્રેસ વાળા ખાંચામાં રહેતા જતીનભાઈ ચીમનલાલ અંધારીયા (ઉ.વ. પર)એ આવી મહાપાલિકાના ધાબા ઉપર ચડી જઈ છલાંગ લગાવી લેતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. બનાવને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા. અને તાત્કાલીક ૧૦૮ મારફતે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા નિલમબાગ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોતની નોંધ લઈ જરી કાર્યવાહી હાથ ધરી હતી.દરમ્યાન જતીનભાઈએ અંતિમ પગલુ ભરી લેતા ત્યા હાજર લોકોએ મોતની છલાંગ લાઈવ રેકોડીંગ કરી લીધી હતી જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના પગલે ભારે અરેરાટી છવાઈ હતી.
પોલીસ તપાસ દરમિયાન મૃતક જતીનભાઈ તેના બહેન સાથે રહેતા હતા, અપરિણીત હતા અને એક અઠવાડીયા પહેલા તેના માતાનું મૃત્યુ નિપયુ હતું. યારે બે દિવસ પહેલા તેને બિમારીનું નિદાન થતા માનસિક રીતે ભાંગી ગયા હોય અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech