કોઠારીયામાં ત્રણ મહિના પહેલા પરણેલા યુવકનો આપઘાત

  • May 09, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. આ વચ્ચે વધુ એક યુવકએ આપઘાત કરી લીધાનું પોલીસ ચોપડે નોંધાયું છે. કોઠારીયામાં રહેતાં યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. યુવકના ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા. બનાવના પગલે આજીડેમ પોલીસ દોડી ગઈ હતી.


પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા ગામમાં ગોપાલ હેરીટેજ સરકારી સ્‍કૂલની પાસે રહેતાં અર્જુન હરેશભાઇ ડવ (ઉ.વ.૨૨) નામના યુવાને સાંજે આઠેક વાગ્‍યે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. રૂમમાં પરિવારજનો જોવા જતા યુવકને લટકતી હાલતમાં જોઈ તાકીદે બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


આપઘાત કરનાર અર્જુન ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો અને કારખાનામાં કામ કરતો હતો. પિતા એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. યુવકના લગ્ન ત્રણ મહિના પૂર્વે જ થયા હતાં. અચાનક ક્યાં કારણોસર પુત્રએ પગલું ભર્યું એ અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application