પોરબંદરમાં ચેક રીટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે.
પોરબંદરની કોટમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લી. દ્વારા નિલેશ દેવાભાઇ ગોરસેરા સામે તેને આપેલી લોનની ચુકવણી સંબંધે ા. ૧૦,૦૦,૦૦૦ અંકે પિયા દસ લાખ પુરાનો ચેક આપેલ હોય તેવુ જણાવી તે ચેક પાછો ફરતા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઇ મુજબ ફરીયાદ કરેલી હતી અને તે કેસ પોરબંદરના એડીશ્નલ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ પંડયાની કોર્ટમાં ચાલી જતા અને આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઇ લાખાણી દ્વારા ફરીયાદીની ઉલટ તપાસમાં ફરીયાદી દ્વારા કોર્ટમાં રજૂ થયેલો ચેક લીગલ અને વેલીડ હોવાનું પૂરવાર ન કરી શકતા અને ખરેખર લોન લેતી વખતે જ કોરા ચેકોમાં સહી કરાવી અને તે ચેકનો પાછળથી ખોટી રીતે ઉપયોગ કરેલ હોવાનું કોર્ટના રેકર્ડમાં પુરવાર કરી આપતા અને તે રીતે ફરીયાદી દ્વારા સને ૨૦૧૯માં લોન આપેલી હોય અને તે વખતે લીધેલા કોરા ચેકનો ઉપયોગ સને ૨૦૨૧માં કરેલ હોવાની એડવોકેટ દ્વારા વિગતવાર કોર્ટમાં દલીલ કરતા અને તે સંબંધે ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટની ઓથોરીટીઓ રજુ કરતા કોર્ટ દ્વારા આરોપી નિલેશ દેવાભાઇ ગોરસેરાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech