નિયમિત રીતે અનિયમિત આવતા અને 'ઓફિસના કામે બહાર છું...ફિલ્ડમાં છું' તેવા કારણો આપીને ગુટલી મારતા કર્મચારીઓ અને અધિકારીઓ સામે રાજકોટ જિલ્લા અધિક કલેકટર ચેતનભાઇ ગાંધીએ ધોકો પછાડો છે. આજે સવારે આવતાની સાથે જ તેમણે તમામ બ્રાન્ચ માંથી હાજરીપત્રકો મંગાવી લીધા હતા અને મોડા આવેલાઓને સમયસર આવવા માટે કડક શબ્દોમાં તાકીદ કરી હતી. યારે રજા લીધા વગર ગેરહાજર રહેનારા અને મોડા આવેલા ૧૨ કર્મચારીઓ તથા અધિકારીઓને ખુલાસા રજૂ કરવા આદેશ કર્યેા છે.
સામાન્ય રીતે કલેકટર કચેરીમાં આવી રીતે ચેકિંગ કરાતું નથી પરંતુ કચેરીના કામકાજના કલાકો શ થયા પછી પણ અરજદારોના કામ થતા ન હોવાની ઉઠેલી વ્યાપક ફરિયાદ પછી આજે અધિક કલેકટર ચેતનભાઈ ગાંધીએ ખાણ ખનીજ પુરવઠા આયોજન જમીન સંપાદન મધ્યાન ભોજન યોજના સહિત અલગ અલગ સાત બ્રાન્ચના હાજરીપત્રકો પોતાની પાસે મંગાવી લીધા હતા.
બે પુરવઠા ઇન્સ્પેકટરોએ 'અમે ફિલ્ડમાં છીએ' તેવો જવાબ આપતા તેમની પાસેથી કરટં લોકેશન મંગાવી લીધા હતા. ખાણ ખનીજ વિભાગના એક કર્મચારી વગર રજાએ ગેરહાજર હતા અને આમ છતાં હાજરીપત્રકમાં તે અંગેની કોઈ નોંધ ન હોતા આ વિભાગના અધિકારીને કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી હતી.
અધિક જિલ્લા કલેકટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે કચેરીમાં આવી જવા માટેનો સવારના ૧૦:૩૦ વાગ્યાનો સમય છે. આ સમયથી ૧૦ –૧૫ મિનિટ મોડા આવનારનું કારણ વ્યાજબી જણાશે તો ચલાવી લેવામાં આવશે. પરંતુ હવે જો ભવિષ્યમાં કોઈ કર્મચારી વગર રજાએ ગેરહાજર હશે, નિયત સમય કરતા મોડા આવશે અને ફિલ્ડમાં હોય તેવા કર્મચારીની નોંધ હાજરી પત્રકના રજીસ્ટરમાં નહીં હોય તો જે તે કર્મચારી અને અધિકારી સામે રજા કાપવા સહિતના શિસ્ત ભંગના પગલાં લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech