દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીના અન્ય એક ટોચના નેતા પોતાનો સરકારી બંગલો છોડવા જઈ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ હવે મનીષ સિસોદિયા પણ પોતાનું સરનામું બદલવા જઈ રહ્યા છે. ગયા મહિને સીએમ પદ છોડનાર કેજરીવાલે પોતાનો બંગલો ખાલી કરવાની જાહેરાત કરી દીધી છે. તે આવતીકાલે શુક્રવારે પોતાનો બંગલો ખાલી કરશે.
સિસોદિયા આવતીકાલે જ બંગલો કરશે ખાલી
સિસોદિયા આવતીકાલે શુક્રવારે પોતાનો બંગલો ખાલી કરવાના પણ અહેવાલ છે. મનીષ સિસોદિયા પંજાબના આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહના ઘરે શિફ્ટ થશે, સિસોદિયાએ નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા હવન અને પૂજા કરી છે. આવતીકાલે શુક્રવારે તે પોતાના નવા ઘરમાં પણ શિફ્ટ થશે. મનીષ સિસોદિયા હાલમાં તેમના પરિવાર સાથે એબી-17, મથુરા રોડ ખાતે રહે છે. જ્યારે સાંસદ તરીકે હરભજન સિંહને 32 રાજેન્દ્ર પ્રસાદ રોડ પર સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે. હરભજન હાલમાં તેના સત્તાવાર નિવાસ સ્થાને રહેતો નથી.
તેમને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન તરીકે સરકારી આવાસ (AB 17, મથુરા રોડ) મળ્યું હતું, પરંતુ આ પદ છોડ્યા બાદ તેમણે પોતાનો બંગલો પણ ખાલી કરવો પડશે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે તેઓ પણ આવતીકાલે જ પોતાનો બંગલો ખાલી કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષ નગર તરફ જતા રસ્તા ના સમારકામની કાર્યવાહી કરવા ઉઠી માંગ
May 03, 2025 12:54 PMપોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે 108 દીપમાળા ના દિવ્ય દર્શન યોજાયા
May 03, 2025 12:52 PMપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMધારી : મૌલાનાની સઘન તપાસ ચાલુ, મદ્રેસા કાયદેસર છે કેમ તેની થશે ચકાસણી
May 03, 2025 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech