ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વધુ એક મોટું કારનામું કર્યું છે. આ ખેલાડી વિશ્વનો નંબર 1 T20 ઓલરાઉન્ડર બની ગયો છે. ICCએ બુધવારે નવી રેન્કિંગ જાહેર કરી, જેમાં હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરોની યાદીમાં ટોપ પર પહોંચી ગયો હતો. પંડ્યાએ મોહમ્મદ નબી અને વેનેન્દુ હસરંગાને હરાવીને રેન્કિંગમાં એક સ્થાન મેળવ્યું છે. પંડ્યા પહેલા ત્રીજા સ્થાને હતો અને T20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન બાદ તે નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે.
T20 વર્લ્ડ કપમાં પંડ્યાનો દબદબો
T20 વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે હાર્દિક પંડ્યા નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે. આ ખેલાડીએ 8 મેચમાં 48ની એવરેજથી 144 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 150થી વધુ હતો. આ દરમિયાન તેના બેટમાંથી અડધી સદી પણ આવી હતી. આ સિવાય બોલિંગમાં તેણે 8 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. ફાઇનલમાં હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. મોટી વાત એ છે કે આ ખેલાડીએ હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને આઉટ કર્યા જે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો હતા.
પંડ્યાએ ટીકાકારોને આપ્યો જવાબ
T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા માટે સારું પ્રદર્શન કરવું એટલું સરળ નહોતું. IPL 2024માં આ ખેલાડીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો અને ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહીં. આટલું જ નહીં, લગભગ દરેક મેચમાં તેને સ્ટેડિયમમાં ટ્રોલ કરવામાં આવ્યો હતો, તેની સામે બબાલ થઈ હતી. પરંતુ પંડ્યાએ આ બધાને માત આપી ટી20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને ટીકાકારોને ચૂપ કરી દીધા હતા.
ટૂંક સમયમાં બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન
T20 વર્લ્ડ કપ બાદ હવે હાર્દિક પંડ્યા T20 ટીમનો કેપ્ટન બની શકે છે. રોહિત શર્મા નિવૃત્ત થઈ ગયો છે અને હવે પંડ્યાને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી મળશે. કારણકે આ ખેલાડી વાઈસ-કેપ્ટન હતો અને તેણે ઘણી વખત ટીમની કમાન સંભાળી છે. જો કે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ પંડ્યાએ એમ પણ કહ્યું હતું કે આ તો વર્લ્ડ ચેમ્પિયન બનવાની માત્ર શરૂઆત છે. તે હજુ પાંચ વધુ ટ્રોફી જીતવા માંગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech