અમદાવાદમાં બનેલી કરુણ વિમાન દુર્ઘટનાના મૃતદેહોની ઓળખ પ્રક્રિયા વેગવંતી બની છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ આજે મીડિયા બ્રીફિંગમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 208 મૃતકોના DNA સેમ્પલ તેમના પરિવારજનોના DNA સાથે સફળતાપૂર્વક મેચ થયા છે.
ડો. જોશીએ વધુમાં જણાવ્યું કે, DNA મેચ થયા બાદ 173 મૃતદેહોને તેમના શોકગ્રસ્ત પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે. બાકીના મૃતદેહોને પણ તબક્કાવાર રીતે સંબંધિત પરિવારોને સોંપવાની પ્રક્રિયા ચાલુ છે. આ કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારો માટે આ અત્યંત સંવેદનશીલ અને કપરો સમય છે.
આ ઓળખ પ્રક્રિયામાં ફોરેન્સિક વિભાગની ટીમ રાત-દિવસ કામ કરી રહી છે, જેથી પીડિતોના પરિવારજનોને તેમના સ્વજનોના અંતિમ સંસ્કાર કરવાની તક મળી શકે. સરકારી અધિકારીઓ અને હોસ્પિટલ તંત્ર દ્વારા પરિવારોને સંપૂર્ણ સહયોગ અને મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૨૦૮ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૭૩ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.
મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ૧૪ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે ૧૨ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ૧૭૩ મૃતકોમાં ૧૩૧ ભારતના નાગરિક, ૪ પોર્ટુગલના, ૩૦ બ્રિટિશ નાગરિક, ૧ કેનેડિયન તેમજ ૬ નોન- પેસેન્જરનો સમાવેશ થાય છે. ડો.રાકેશ જોશીએ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસ.ઓ.જી. દ્વારા લાલપુર ખાતે NDPS અંગે સેમિનાર યોજાયો
June 18, 2025 07:13 PMશું પ્લેનના બંને એન્જિન ફેઇલ થઈ ગયા હતા? અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં મોટો ખુલાસો
June 18, 2025 07:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech