રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ હેક થઈ છે અને મહાપાલિકા તંત્રનો તેમજ મિલકત ધારકોનો ડેટા લીક થયો હોવાની વહેતી થયેલી ચર્ચા વચ્ચે આઈટી બ્રાન્ચની કામગીરી સંભાળતા ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે કોર્પોરેશન તંત્રનો અને મિલકત ધારકોનો તમામ ડેટા સલામત છે અને વેબ હેકિંગ થયું નથી પરંતુ અનેક સર્વર પૈકી જીઆઈએસના સર્વરમાં ડેટા મુવમેન્ટ વધુ જણાતાં તેમજ ફ્લો સ્લો થયાનું જણાતા તે સર્વને સમગ્ર સિસ્ટમમાંથી આઇસોલેટ કરીને તેના રૂટ કોર્સ સુધી તપાસ કરવામાં આવી રહી છે, અલબત્ત આજે બપોર સુધીની સ્થિતિએ કશું જ વાંધાજનક સામે આવ્યું નથી તેમ જણાવ્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા શહેરની ૫.૫૦ લાખથી વધુ મિલકતનો સંપૂર્ણ ડેટા બેઇઝ તૈયાર કરવા જીઓટેગીંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં એજન્સી દ્વારા ડેટા તૈયાર કરી સ્ટોરેજ કરવામાં આવ્યો હતો. આ જીઓગ્રાફિકલ ડેટા મહાનગરપાલિકા માટે મહત્વનો પૂરવાર થયો છે. એક કિલકથી કોઇ પણ પ્રોપર્ટીની તમામ વિગતો જાણી શકાય છે. પરંતુ ગઇકાલે સાયબર એટેકના કારણે મિલકતનો ડેટા લીક થયાની ચર્ચા જાગતા તંત્રએ તુરંત તપાસ આરંભી હતી. દરમિયાન આજે તમામ જીઓગ્રાફિક ડેટા સાલમત હોવાનુ જણાવી ડેટાફલો સ્લો હોવાના કારણે સમસ્યા સર્જાઇ હતી. ડેટા લીક થયો નથી છતા સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ જીઓ ટેગીંગ સીસ્ટમમાં ૫.૫૦ લાખથી વધુ મિલકતનો પ્રકાર તેમજ મિલકતોની માપ, સાઇઝ, નળ કનેકશન, કારપેટ એરીયા સહિતની વિગત એકઠી કરી ડેટા બેઇઝ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડેટાના આધારે મહાપાલિકાના અલગ અલગ વિભાગોને કામગીરીમાં મદદરૂપ થઇ શકાય છે. તેવી જ રીતે સિટી મેંપીગ દ્વારા પીવાની પાણી લાઇનો, અન્ડર ગ્રાઉન્ડ કનેકટીવીટીની જાણકારી મળી રહી છે. સ્માર્ટ સિટી અંતર્ગત બીએસએનએલ દ્વારા તમામ કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ગઇકાલે જીઓગ્રાફિક ડેટા લીક થયાની ચર્ચા ઉઠતા તંત્ર દ્વારા એજન્સી અને નિષ્ણાંતો દ્વારા તપાસ આરંભી હતી જેમા જાણવા મળેલ કે સર્વડાઉન હોવાથી ડેટા ફલો સ્લો હતો જેના કારણે ઓફિસીયન્સ એક્ટિવટી મળેલ નહીં જેના લીધે સમસ્યા ઉભી થયેલ તેવી જ રીતે ઇન્ટરનેટ ડિસ્કનેકટ હોવાથી ડેટા ચોરીની સંભાવના ઝીરો થઇ જાય છે. છતા નિષ્ણાંતો દ્વારા કનેકટીવીટી મેળવી તપાસ કરાતા તમામા ડેટા સલામત હોવાનુ જાણવા મળ્યું હતું. તેમને ભારપૂર્વક ઉમેર્યું હતું કે જો વેબસાઈટ હેક થઈ હોય તો મહાનગરપાલિકાની તમામ ઓનલાઈન સિસ્ટમની કામગીરી ઠપ થઈ જાય પરંતુ તેવું થયું નથી.
મહાનગરપાલિકામાં જીઓગ્રાફિક ડેટા લીક થયાના બનાવ બાદ તપાસના અંતે સમગ્ર ડેટા સલામત હોવાનુ તંત્રએ જણાવ્યુ છે કે, મહાનગરપાલિકાના તમામ વિભાગના ઉપયોગી ડેટાને ડિઝાસ્ટર રિકવરી અંતર્ગત ગુડગાવ ખાતે સ્ટોર કરવામાં આવે છે. કુદરતી આફત અથવા આગ જની તેમજ અન્ય કારણો સર મહાનગર પાલિકાના કોમ્પ્યુટરો માથી ડેટા ઉડી જાય ત્યારે ડિઝાસ્ટાર રિકવરી સેન્ટરમાંથી ફરી વખત તમામ ડેટા મેળવી મનપાના કોમ્પ્યુટરમાં અપલોડ કરવામાં આવે છે. આથી મનપાના મહત્વના ડેટા ઉડી જવાનો ભય રહેતો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application18 જૂને જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે
June 17, 2025 10:53 AMઇઝરાયલમાં મુસ્લિમ શહેરો અને વસ્તીને ઈરાન બનાવી રહ્યું છે નિશાન
June 17, 2025 10:52 AMપાકિસ્તાને જાત બતાવી, ઈરાન સાથે ઉભા રહેવાનું વચન આપી ઠેંગો બતાવી દીધો
June 17, 2025 10:48 AMગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી
June 17, 2025 10:48 AMભારતને ઝટકો : ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં ન મૂક્યું
June 17, 2025 10:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech