સ્વામિનારાયણ સાધુઓ દ્રારા દુષ્કર્મ અને જાતીય સતામણીની ઘટનાઓ એક પછી એક બહાર આવી રહી છે ત્યારે રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનાએક સાધુ સામે પણ એક યુવાને જાતીય સતામણી અને પછી પોતાને હનીટ્રેપના ખોટા કેસમાં ફસાવી દીધાનો આક્ષેપ કરતો વિડીયો જારી કરતાંખળભળાટ મચી જવા પામ્યો છે. યુવાને ઓડિયો ટેપ્સ પણ મીડિયાને મોકલી છે જેમાં તેને સારી ભાષામાં ધમકી આપવામાં આવી રહી છે.
યુવાને તે સાધુના નામ સાથે આરોપ લગાવ્યો છે કે સ્વામિએ પોતાની સાથે ઘરોબો કેળવ્યા બાદ મમાં બોલાવ્યો હતો અને પગ દબાવવાની કહીને પછી હસ્તમૈથુન કરાવ્યું હતું. અને ધમકી આપી હતી કે કોઈને કહીશ તો તને હેરાન કરી નાખીસ. યુવાનનો આક્ષેપ છે કે આ પછી સાધુએ તેની સાથે સૃષ્ટ્રિવિદ્ધનું કૃત્ય પણ કયુ હતું. પોતે વિરોધ કરતાં સ્વામીનારાયણ મંદિરના એક હરિભકત અને અન્ય એક સાધુ દ્રારા ધમકી અને પૈસાની લાલચ આપવામાં આવી હતી અને પોતે તાબે ન થતા અપહરણ કરાવીને ક્રાઈમ બ્રાન્ચના વિવાદિત પીઆઈ અને વિવાદિત પીએસઆઈ દ્રારા ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં બે દિવસ ગોંધી રાખીને બેફામ માર મારવામાં આવ્યો હતો અને કેટલાક લખાણો પર તેની સહીઓ લઇ લેવામાં આવી હતી અને પોતાની પાસેના પૂરાવાઓ લઇ લઈને તેનો નાશ કરવામાં આવ્યો હતો. યુવાન સાથે સમાધાનની વાત કરીને તેનું રેકડગ કરી લેવામાં આવ્યું અને પછી એનો ઉપયોગ હનીટ્રેપના કેસમાં ફસાવી દેવા માટે કરવામાં આવ્યાનો આક્ષેપ પણ તેણે કર્યેા છે.
યુવાનનો આક્ષેપ એવો છે કે બાદમાં પોલીસ સાથે મળીને યુવાન સામે જ હનીટ્રેપનો કેસ કરી દેવામાં આવ્યો હતો. હનીટ્રેપના કેસમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુવાન અનૈસર્ગિક સંબંધની ટેવવાળો હતો અને સાધુ પાસેથી પૈસા પડાવવા માટે તેણે વિડીયો વગેરે પુરાવાઓ બનાવ્યા હતા. જોકે, યુવાનનું કહેવું છે કે કેસ સદંતર ખોટો છે અને પોતે ભોગ બનનાર હોવા છતાં ફસાવી દેવામાં આવ્યો છે. આ કેસમાં યુવાને વિડીયોમાં જણાવ્યું છે કે તેણે પોતાની સાથે થયેલી બળજબરી અંગે અન્ય મોટા સ્વામીઓનું ધ્યાન દોયુ હતું અને તેમને વિડીયો બતાવ્યા પણ હતા છતાં તે ખોટો હોવાનું કહીને કોઈ જ પગલાં લેવામાં આવ્યા નહોતા. યુવાને કોર્ટમાં ૨૦૨ મુજબ ઇન્કવાયરી માંગતો કેસ પણ કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech