અમરેલીમાં રહેતી પરિણીતાને પતિ, સાસુ અને જેઠ ત્રાસ આપતા હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અમરેલી સ્થિતિ પતિ, સાસુ અને જેઠ સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગત ખાંભાના ભાડ ઈંગોરા ગામે માવતર ધરાવતી અને અમરેલીમાં લાઠી રોડ પર પુત્ર સાથે રહી નારી અદાલતમાં નોકરી કરતી વૈશાલીબેન પ્રકાસભાઈ વડાલીયા (ઉ.વ.35) નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પતિ પ્રકાશભાઇ ઠાકરશીભાઇ વડાલીયા, સાસુ - કમળાબેન અને જેઠ નરેશભાઇ (રહે. તમામ નાના આંકડીયા)ના નામ આપ્યા છે, ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા બીજા રજીસ્ટર લગ્ન વર્ષ-2018માં નાના આંકડિયા ગામે રહેતા પ્રકાશ વડાલીયા સાથે થયા છે. અગાઉ ધરી ખાતે લગ્ન થયા હતા ત્યાં પતિ સાથે મનમેળ ન રહેતા છૂટાછેડા આપ્યા હતા અને તેના થકી સંતાનમાં એક પુત્ર છે, જે પુત્ર મારી સાથે છે, લગ્નના થોડા સમય સુધી અમે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા બાદમાં હું મારો દીકરો અને પતિ અમરેલી રહેવા આવી ગયા હતા. અહીં આવ્યા બાદ પતિ નાની નાની વાતોમાં બોલાચાલી કરતા હતા અને સાસુ તેમજ જેઠ અમારા ઘરે આવે ત્યારે સંભળાવતા કે, કે તે બીજી જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કર્યા હતા તને પટેલ જ્ઞાતિમાં કોઈ અપનાવે નહિ, તારા પિતાએ કરિયાવરમાં કાંઈ આપ્યું નથી કહી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હતા. કોરાનોમાં મારા બંને હાથના ગોળા સુકાઈ ગયા હતા તેની સારવાર પણ મારા પતિએ ન કરાવતા મેં જાતે કરી હતી. અમે અમરેલી મકાન લીધું ત્યારે પાંચ લાખ માટે મારા સોનાના દાગીના આપ્યા હતા. આ મકાન મેં અને મારા પતિ બંનેના નામે હોય અને લોન પણ બંનેના નામે ચાલુ છે. જેના હપ્તા બંને ભરતા હતા. મારા જેઠ ઘરે આવતા ત્યારે પતિને ચડામણી કરતા હોય આથી મેં તેને આમ ન કરવા કહેતા મારી નાખવાની ધમકી આપી હતી.
તા.16-12-24ના પતિને મેં લીલીયા ઓફિસે મૂકી જવાનું કહેતા પતિએ નાના પગારમાં પોસણ થતું નથી કહી ઝગડો કરી પોતે નાના આંકડિયા ચાલ્યા ગયા હતા અને મને કહ્યું હતું કે, હું હવે તારી પાસે આવીશ નહીં. ત્યારબાદ મારા પરિવારને વાત કરી ઘરમાં રહી હતી. પતિ બેન્કનો હપ્તો ભરતા ન હોય બેન્ક વાળા સીલ મારવા આવે એ પહેલા મેં મકાન ખાલી કરી ભાડાના મકાનમાં રહુ છું. અને આજસુધી પતિ સમાધાન માટે ન આવતા અંતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech