જસદણના જંગવડમાં 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત થવાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. યુવાનો અને આધેડ બાદ હવે બાળકોના હાર્ટએટેકથી મોત થઈ રહ્યા છે. ગઈકાલે જંગવડમાં ધોરણ-5માં અભ્યાસ કરતાં બાળકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા પરિવાર ચિંતિત થયો હતો. છાતીમાં અસહ્ય દુઃખાવો થતો પરિવાર તાત્કાલિક બાળકને ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો. પરંતુ ત્યાં પંહોચતા જ હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકની તપાસ કરતાં મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરો પણ 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવતા વધુ ચિંતિત થયા છે.
તાજેતરમાં જ બાળકે તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમમાં મેદાન માર્યું હતું
પ્રાપ્ત વિગત મુજબ, ધોરણ-5માં અભ્યાસ કરતો હેતાંશ રશ્મિકાંત દવે એક તેજસ્વી વિદ્યાર્થી હતો. હેતાંશ અભ્યાસ ઉપરાંત રમત-ગમતમાં પણ આગળ પડતો હતો. દસ દિવસ પહેલા જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં વિધાર્થી હેતાંશે ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ મેદાન માર્યું હતું. માતા-પિતાએ પોતાના પુત્રને લઈને અનેક સપના સેવ્યા હશે. પરંતુ હાર્ટએટેકના શિકાર બનેલ હેતાંશને જીવ ગુમાવવાથી પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. કાલે હસતો રમતો છોકરો અચાનક વિદાય લેતા માતા-પિતા સહિત કુટુંબીજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
બાળકો થઈ રહ્યા છે હાર્ટએટેકના શિકાર
હમણાં થોડા સમય પહેલા જ 11 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત થયાના બનાવના સમાચાર સામે આવ્યા હતા. અમદાવાદની શાળામાં બાળકી અચાનક ઢળી પડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક કિસ્સામાં શાહીબાગમાં રાજસ્થાન વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું.
હાર્ટ એટેકથી મોતના કિસ્સામાં વધારો
છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોતના કિસ્સા વધ્યા છે. યુવાનો બાદ હવે બાળકો પણ હાર્ટએટેકનો ભોગ બનવા લાગ્યા છે. હાર્ટ એટેકને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં સામે આવ્યું કે ઊંઘ સંબંધિત સમસ્યા ધરાવનાર લોકો જલ્દી હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. તેમજ ઓછું પાણી પીનારા અને ઓછી ઊંઘ ધરાવનારા લોકો હૃદયરોગના હુમલાનો શિકાર થાય છે. આથી લોકોએ ઉંમર મુજબ પાણીનું સેવન તેમજ પૂરતી ઊંઘ અને સાત્વિક ખોરાકનું સેવન કરવું જોઈએ.
હાર્ટ એટેકના લક્ષણો
હાર્ટ એટેકના કારણો
હાર્ટ એટેકથી બચવાના ઉપાયો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech