અનુષ્કા શર્માએ લંડનમાં પુત્ર અકાયને જન્મ આપ્યો છે. ત્યારથી અત્યાર સુધી અનુષ્કા માત્ર લંડનમાં જ છે. પરંતુ રિપોર્ટ મુજબ હવે અનુષ્કા ભારત પરત ફરી શકે છે. વિરાટ કોહલી પુત્ર અકાયના જન્મ બાદ બ્રેક પર હતો અને હવે તે આઈપીએલ મેચમાં પરત ફરી રહ્યો છે.
વિરાટ કોહલી પુત્ર અકાયના જન્મ બાદ બ્રેક પર હતો અને હવે તે આઈપીએલ મેચમાં પરત ફરી રહ્યો છે. આરસીબી અને સીએસકેની પહેલી મેચ છે. ફેન્સ પણ આ પહેલી મેચ જોવા ખૂબ જ એક્સાઈટેડ છે કારણ કે બંને ટીમની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. અત્યાર સુધી વિરાટને મેચમાં અનુષ્કા શર્મા ચિયર કરવા આવે છે તો ફેન્સ રાહ જોવે છે આ મેચમાં અનુષ્કા શર્મા આવશે કે નહીં.
વિરાટને સપોર્ટ કરવા આવશે અનુષ્કા
બોલિવુડ લાઈફની રિપોર્ટ મુજબ અનુષ્કા જેણે પુત્રને લંડનમાં જન્મ આપ્યો તે હવે ભારત પતિ વિરાટને સપોર્ટ કરવા આવી શકે છે. અકાય હવે દોઢ મહિનાનો છે અને તે ટ્રાવેલ પણ કરી શકે છે. અકાયનો જન્મ 15 ફ્રેબુઆરીએ થયો અને હાલમાં અનુષ્કા અને વામિકાની સાથે લંડનમાં છે. અનુષ્કા આજે તો નહીં, પરંતુ આવનારી આરસીબીની કોઈ પણ મેચમાં વિરાટને સપોર્ટ કરવા આવી શકે છે.
થોડા સમય પહેલા અનુષ્કાની પ્રેગનેન્સીના સમાચાર આવી રહ્યા હતા. એક્ટ્રેસને ઘણીવાર મેચ દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી, જ્યારે તેના બેબી બમ્પની ઝલક પણ ફેન્સને જોવા મળી હતી. પરંતુ બંનેએ ઓફિશિયલી પ્રેગનેન્સીનું એનાઉન્સમેન્ટ કર્યું ન હતું. આ પછી બંનેએ સોશિયલ મીડિયા પર એનાઉન્સ કર્યું છે તે બંને પેરેન્ટ્સ બની ગયા છે.
વિરાટે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. વર્ષ 2021માં બંનેએ પુત્રી વામિકાના જન્મનું એનાઉન્સમેન્ચ કર્યું. ત્યારબાદ આ વર્ષે પુત્ર અકાયના પેરેન્ટ બન્યા.
અનુષ્કાની પ્રોફેશનલ લાઈફ
અનુષ્કા છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે શાહરુખ ખાન અને કેટરિના કૈફ લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી ન હતી. અનુષ્કાએ ગયા વર્ષે ફિલ્મ ચકદા એક્સપ્રેસનું શૂટિંગ કર્યું હતું. ફિલ્મ નેટફ્લિક્સમાં રિલીઝ થવાની હતી પરંતુ ડેટનું એનાઉન્સમેન્ટ થયું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech