સતત ત્રીજા દિવસે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોટર ટર્નઆઉટ માટે ભારતને કથિત રીતે આપવામાં આવેલા 21 મિલિયન ડોલરનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતમાં આ મુદ્દા પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે ત્યારે ટ્રમ્પે ઘટસ્ફોટ કર્યો છે કે બાંગ્લાદેશને ૨.૯ કરોડ ડોલર આપવામાં આવ્યા જ હતા પરંતુ મારા મિત્ર વડાપ્રધાન મોદીને પણ વોટર ટર્નઆઉટ માટે ૨.૧ કરોડ ડોલર આપ્યા હતા. ટ્રમ્પનું આ તાજેતરનું નિવેદન એક અહેવાલ બાદ આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2022 માં ૨.૧ કરોડ ડોલરની ગ્રાન્ટ ભારત માટે નહીં પરંતુ બાંગ્લાદેશ માટે મંજૂર કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, મારા મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતને વોટર ટર્નઆઉટ માટે ૨.૧ કરોડ ડોલર આપવામાં આવી રહ્યા છે. અમે ભારતમાં મતદાન માટે ૨.૧ કરોડ ડોલર આપી રહ્યા છીએ. અમારું શું? હું પણ મતદાન વધારવા માંગુ છું.
આ પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે બાંગ્લાદેશને આપવામાં આવેલી ૨.૯ કરોડ ડોલરની યુએસ સહાયનો પણ ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે કહ્યું કે રાજકીય પરિસ્થિતિને સ્થિર કરવા માટે બાંગ્લાદેશને 29 મિલિયન ડોલર આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, બાંગ્લાદેશમાં, ૨.૯ કરોડ ડોલર એક એવી પેઢીને આપવામાં આવ્યા હતા જેના વિશે કોઈએ ક્યારેય સાંભળ્યું ન હતું. તે પેઢીમાં ફક્ત બે લોકો કામ કરતા હતા.ઉલ્લેખનીય છે કે યુએસ સરકારી એજન્સી યુએસએઆઇડી દ્વારા ભારતને કથિત રીતે આપવામાં આવેલી સહાયનો મુદ્દો દેશમાં રાજકીય સંઘર્ષનું કારણ બની ગયો છે.
શું છે આ યુએસએઆઇડીનો મુદ્દો?
ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી ખર્ચ ઘટાડવા માટે એક નવો વિભાગ બનાવ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ડોજ) નામનો આ વિભાગ યુએસ સરકારના ખર્ચમાં ઘટાડો કરી રહ્યો છે. ટ્રમ્પે ટેસ્લાના માલિક એલોન મસ્કને આ વિભાગના વડા તરીકે નિયુક્ત કર્યા છે. આ સંદર્ભમાં, ટ્રમ્પે ૨.૧ કરોડ ડોલર એટલે કે 182 કરોડ રૂપિયાની સહાય બંધ કરી દીધી છે, જે કથિત રીતે યુએસ સરકારી એજન્સી યુએસએઆઇડી દ્વારા ભારતને આપવામાં આવી રહી હતી. આ ઉપરાંત, યુએસ સરકાર બાંગ્લાદેશમાં રાજકીય સ્થિરતાને પ્રોત્સાહન આપવા અને લોકશાહી શાસન વધારવા માટે ૨.૯ કરોડ ડોલરની સહાય પૂરી પાડી રહી હતી. યુએસ વહીવટીતંત્રે હવે આ રકમ પર પ્રતિબંધ મૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech