દરેક વ્યક્તિને સ્વસ્થ અને ચમકદાર ત્વચા જોઈએ છે. પરંતુ પ્રદૂષણ, ધૂળ, સૂર્યપ્રકાશ અને અન્ય ઘણા કારણોસર ચહેરો તેની ચમક ગુમાવવા લાગે છે. આ માટે લોકો અનેક પ્રકારના ઉપાયો અપનાવે છે. આમાં મધ પણ સામેલ છે. મધમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. તેમાં હાજર એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ્સ સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. જે ત્વચાની ખોવાયેલી ચમક પાછી લાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
મધ ત્વચાને હાઇડ્રેટ કરે છે, તેને નરમ અને કોમળ બનાવે છે. મધમાં રહેલા કુદરતી એન્ટિ-બેક્ટેરિયલ ગુણો ત્વચાના ચેપ અને વૃદ્ધત્વના સંકેતોને રોકવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. મધનો ઉપયોગ ચહેરાને ચમકાવવા તેમજ ડાઘ અને પિગમેન્ટેશન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે, તમે ત્વચા માટે મધનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો.
એલોવેરા અને મધ
એલોવેરા ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. મધ અને તાજા એલોવેરા જેલને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી શકો છો અને તેને ચહેરા અને ગરદન પર લગાવી શકો છો. તેને 15 મિનિટ સુધી રાખ્યા બાદ તેને સામાન્ય પાણીથી સાફ કરો. તે ત્વચાને નરમ બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
મધ અને હળદર
ચહેરા પરની ફોલ્લીઓ અને ડાઘ-ધબ્બા ઘટાડવા અને ખોવાયેલી ચમક પાછી લાવવા માટે હળદરને મધમાં ભેળવીને લગાવી શકો છો. આ માટે સૌ પ્રથમ હળદર લઈને તેને શેકી લેવાની છે. પછી તેમાં મધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ માટે લગાવો અને સામાન્ય પાણીથી ચહેરો સાફ કરો. અઠવાડિયામાં બે વાર આ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.
ચંદન અને મધ ફેસ પેક
ત્વચાને ચમકદાર બનાવવા માટે મધ અને ચંદન પાવડરનો ફેસ પેક બનાવીને ત્વચા પર લગાવી શકો છો. સામાન્યથી શુષ્ક ત્વચા ધરાવતા લોકો માટે આ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે એક ચમચી મધ અને ચંદન પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. આ પછી તેને પાણીથી સાફ કરો.
કોફી અને મધ
મધ અને કોફી ફેસ માસ્ક ચહેરાની ખોવાયેલી ચમક પાછી લાવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે એક ચમચી કોફીમાં સમાન માત્રામાં મધ મિક્સ કરો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો અને 10 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech