ભારત-પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂરના પગલે ભારે તણાવભર્યું વાતાવરણ ઉભું થયું હતું. અને ગઈ તા. ૭મી ના રોજ પાકિસ્તાન દ્વારા રાજોરીમાં થઈ રહેલા ગોળીબારની ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી ચાલી રહી હતી તે દરમ્યાન જ અચાનક પાકિસ્તાન તરફી થયેલા ડ્રોન હુમલામાં ભાવનગર જિલ્લાના નોઘણવદર ગામના જવાન સહિત સેનાના પાંચ જવાનો ઈજાગ્રસ્ત થતા એક જવાન શહીદ થયેલ જ્યારે ઈજાગ્રસ્ત ભાવનગરના જવાન સહિત ચાર જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાવનગરના જવાનએ પગમાં ફ્રેક્ચર થયું હોવાનું તેમજ તેની સ્થિતિ હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.
ભારતીય સેનાના આર્ટલરી (તોપગોળા વિભાગ)માં ફરજ બજાવતા ભાવનગર જિલ્લાના નોંઘણવદરના વતની પ્રતિપાલસિંહ ગોહિલ ગત ૭મી મે એ સવારે પાકિસ્તાન વિરૂધ્ધ તોપગોળા છોડી રહ્યા હતા. સતત બે કલાક સુધી ભારત તરફથી ગોળાબારી ચાલ્યા બાદ થોડીકવાર વિરામ રખાયો હતો. આ તોપગોળા છોડાતો હતો. ત્યારે પાકિસ્તાન તરફથી કોઈ ખાસ ટક્કર મળતી ન હતી. ભારતીય સેના હાવી થઈ ગઈ હતી. પરંતુ વિરામ દરમિયાન પાકિસ્તાનના સૈનિકો દ્વારા નાપાક હરકત શરૂ થઈ હતી.
જેમાં તેઓ ડ્રોન દ્વારા હુમલા શરૂ કરી દીધા હતા. આ હુમલામાં દિનેશ શર્મા (લાન્સનાયક)ને ઈજા થઈ હતી. અને તે શહીદ થયા હતા. આ હુમલામાં પ્રતિપાલસિંહ સહિત અન્ય જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ આર્ટલરી વિભાગના સૈનિકોમાં ગુજરાત, રાજસ્થાન, બિહાર અને રાજસ્થાનના યુવાનો પણ હતા. જેમાં ગુજરાતના ભાવનગર જિલ્લાના નોંઘણવદર ગામના પ્રતિપાલસિંહ ગોહિલનો સમાવેશ થાય ને ડ્રોન દ્વારા ફેકાયેલા ગ્રેનેડના હુમલામાં પગમાં બે ફેકચર થયા છે. પગમાં સળિયો નાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. હાલ તે જમ્મુની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું તેમજ તેની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech