આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ શનિવારે સત્તાવાર રીતે દિલ્હીના નવા મુખ્યમંત્રીનો હવાલો સંભાળ્યો. હવે તે ટૂંક સમયમાં સિવિલ લાઈન્સ સ્થિત મુખ્યમંત્રી આવાસમાં શિફ્ટ થશે. આ માટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાનું સરકારી આવાસ ખાલી કરવું પડશે.
તેને જોતા આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે પાર્ટીના કન્વીનર અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ માટે સરકારી આવાસની માંગ કરી છે. જો કે તે સીએમ આવાસ ક્યારે ખાલી કરશે અને ક્યાં શિફ્ટ થશે તે હજુ નક્કી થયું નથી.
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ચૂંટણી પંચના નિયમોને ટાંકીને કેન્દ્ર પાસે બે દિવસ પહેલા પૂર્વ સીએમ કેજરીવાલ માટે આવાસ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રી સરકારી આવાસના હકદાર
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે પંચના નિયમો મુજબ કોઈપણ રાષ્ટ્રીય પક્ષને રાષ્ટ્રીય કાર્યાલય આપવામાં આવે છે અને રાષ્ટ્રીય સ્તરની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકને સરકારી આવાસ આપવામાં આવે છે. અમે કેન્દ્ર સરકાર પાસે માંગ કરીએ છીએ કે કેજરીવાલને સરકારી આવાસ આપવામાં આવે.
અરવિંદ કેજરીવાલ અહીં શિફ્ટ થઈ શકે છે
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ સીએમ બનતા પહેલા ગાઝિયાબાદના કૌશામ્બીમાં રહેતા હતા. 2013માં સીએમ બન્યા બાદ તેઓ તિલક લેનમાં સ્થિત મકાનમાં રહેતા હતા. ફેબ્રુઆરી 2015માં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ સિવિલ લાઈન્સ વિસ્તારમાં 6 ફ્લેગ સ્ટાફ રોડ ખાતેના આવાસમાં રહેતા હતા.
સીએમ આવાસ ખાલી કર્યા પછી કેજરીવાલને રહેવા માટે ક્યાં અને કયું ઘર ફાળવવામાં આવશે તે અંગે કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સૂત્રોનું માનીએ તો હવે કેજરીવાલ 10 ફિરોઝશાહ રોડ પર શિફ્ટ થઈ શકે છે.
17 સપ્ટેમ્બરે રાજીનામું આપ્યું હતું
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલને 13 સપ્ટેમ્બરે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 15 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસ પછી તેમના પદ પરથી રાજીનામું આપશે. 17 સપ્ટેમ્બરે તેમણે દિલ્હીના સીએમ પદ પરથી રાજીના
મું આપી દીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech