આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવશે અને ગુનેગારને સજા તરીકે આજીવન કારાવાસની જોગવાઈ હશે. આ સાથે તેમણે ભાજપ સરકાર દ્વારા લેવામાં આવેલા અન્ય કેટલાક નિર્ણયોની પણ જાહેરાત કરી હતી. ગુવાહાટીમાં આયોજિત ભાજપ પ્રદેશ કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરતી વખતે સરમાએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ નિર્ણયો દેશના લોકોના અધિકારોની સુરક્ષા માટે લેવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે 2021ની ચૂંટણી પહેલા આપેલા વચનો પણ પૂરા કરવામાં આવશે.
હિમંત સરમાએ કહ્યું, ચૂંટણી દરમિયાન અમે લવ જેહાદની વાત કરી હતી. આગામી દિવસોમાં અમે નવો કાયદો લાવી રહ્યા છીએ જેમાં લવ જેહાદના કેસમાં દોષિતોને આજીવન કેદની સજા થશે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં લવ જેહાદ કાયદા બનાવવામાં આવ્યા છે.
આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં મુસ્લિમોને જમીનનું વેચાણ રોકવા માટે વિવિધ પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે જમીનના વ્યવહારો માટે મુખ્યમંત્રીની સંમતિ જરૂરી બનાવવામાં આવશે.
તેમણે કહ્યું, પહેલાં આંતર-ધર્મ જમીન ટ્રાન્સફર સિસ્ટમ હતી. મુસ્લિમો હિંદુની જમીન ખરીદતા હતા અને હિંદુઓ મુસ્લિમની જમીન ખરીદતા હતા. સરકાર તેને રોકી શકતી નથી પરંતુ તેમણે નક્કી કર્યું છે કે જો કોઈ હિંદુ કોઈ મુસ્લિમની જમીન ખરીદે અથવા જો કોઈ મુસ્લિમ કોઈ હિંદુની જમીન ખરીદે તો તેણે પહેલા મુખ્યમંત્રીની સંમતિ લેવી પડશે.
સરમાએ એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર આસામના ગોલપારા વિસ્તારમાં જમીનના વેચાણને લઈને કેટલાક વિશિષ્ટ સમુદાયો પર પણ નિયંત્રણો લાદશે. અવિભાજિત ગોવાલપારા આસામનો અભિન્ન અંગ હતો અને કોચ રાજભોંગશી સમુદાયનું આ વિસ્તારમાં ઘણું મહત્વ હતું. પરંતુ ચોક્કસ સમાજના લોકો આપણા સમાજના લોકો પાસેથી જમીનો છીનવી રહ્યા છે અને તેના કારણે આજે આપણે આપણા જ વિસ્તારમાં લઘુમતી બની ગયા છીએ. તેમણે કહ્યું, સરકારે નિર્ણય કર્યો છે કે તે આગામી થોડા દિવસોમાં ગોલપારા વિસ્તારમાં એવો કાયદો લાવશે જેના હેઠળ કોઈ ચોક્કસ સમુદાય જમીન ખરીદી શકશે નહીં. જમીન અહીં આદિવાસીઓ, એસસી અને ઓબીસી લોકો પાસે રહેશે. અને તે અન્ય કોઈ માટે ઉપલબ્ધ રહેશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech