સની દેઓલની ફિલ્મ બોર્ડર ટૂમાંથી આયુષમાન ખુરાનાની એક્ઝિટ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સની દેઓલ કરતાં ગૌણ પાત્ર મળતાં આયુષમાને આ ફિલમ છોડી દીધી હોવાનું કહેવાય છે.
સની દેઓલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની કહાની પર બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી છે. ફરી એકવાર એ જ તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલમાં તેની પાસે 8 ફિલ્મો છે. તાજેતરમાં જ ખબર પડી હતી કે લાહોર 1947 પર તેમનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. છેલ્લી સિક્વન્સનું શૂટિંગ થઈ રહ્યું છે. બીજી ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થવાના અહેવાલો છે, જે છે બોર્ડર-2.
ફિલ્મમાં ઘણા કલાકારોએ પણ એન્ટ્રી કરી છે. હાલમાં જ આયુષ્માન ખુરાનાનું નામ આ ફિલ્મ સાથે જોડાઈ રહ્યું હતું, પરંતુ હવે એક મોટું અપડેટ આવ્યું છે. ટીમના જણાવ્યા અનુસાર આયુષમાને ફિલ્મ વિધિવત્ત સાઈન કરી જ ન હતી. તેની સાથે માત્ર ચર્ચા થઈ હતી આ ચર્ચા દરમિયાન જ આયુષમાને ફિલ્મમાં કામ નહીં કરવાનું નક્કી કર્યું હતું આયુષમાને ઓછાં મહત્વનાં પાત્રને કારણે ફિલ્મ છોડી દીધી હોવાનો પણ ઈનકાર કરવામાં આવ્યો છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર 'બોર્ડર'ની જેમ 'બોર્ડર ટૂ'માં પણ સૈન્યના એક મોટાં જૂથના પરાક્રમો દર્શાવવામાં આવશે. તેમાં કોઈ એક પાત્ર મુખ્ય હોય તેવું નહીં બને. દરેક પાત્ર કોઈને કોઈ રીતે મહત્વનું હશે. ફિલ્મમાં અગાઉ દિલજીત દોસાંજને પણ સાઈન કરવામાં આવ્યો હોવાના અહેવાલ હતા.
દરમિયાન કાસ્ટિંગ વિશેની તમામ અટકળોનો અંત લાવવા માટે ફિલ્મના સર્જકો દ્વારા એક મેગા ઈવેન્ટ પ્લાન થઈ રહી છે. તેમાં અન્ય કલાકારોની જાહેરાત કરાશે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech