રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની જીતની ઉજવણીમાં થયેલી ભાગદોડ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નું નિવેદન આવ્યું છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોતના અહેવાલો પણ છે.
RCB ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચે તે પહેલાં, ભાગદોડ મચી ગઈ જેમાં ચાર લોકોના મોત થયા. હવે BCCI એ પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. BCCI એ કહ્યું, આ લોકપ્રિયતાની નેગેટીવ સાઈડ છે, લોકો તેમના ક્રિકેટરો માટે પાગલ છે. આ સૌથી દુર્ભાગ્યપૂર્ણ છે, આયોજકોએ RCB ની IPL જીતની ઉજવણીનું વધુ સારી રીતે આયોજન કરવું જોઈતું હતું. RCB ના પ્રવક્તાએ પણ આ ભાગદોડ પર નિવેદન આપ્યું છે. RCB ના પ્રવક્તાએ કહ્યું, ચાહકોએ આ કપ માટે 18 વર્ષ રાહ જોઈ. આપણે તેમની સાથે સહાનુભૂતિ રાખવી જોઈએ.
રાજીવ શુક્લાએ કહ્યું - રાજકારણ ન કરવું જોઈએ
BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું, સરકારે ભાગદોડ કે આવી કોઈ પરિસ્થિતિ ટાળવા માટે રોડ શો બંધ કર્યો હતો. પરંતુ, એવું અનુમાન નહોતું કે સ્ટેડિયમની બહાર ભાગદોડ થશે. બધાએ ડેમેજ કંટ્રોલ પર સાથે મળીને કામ કરવું જોઈએ. આ કોઈપણ રાજ્યમાં થઈ શકે છે અને શાસક પક્ષને તેના માટે દોષી ઠેરવવો જોઈએ નહીં. તેનું રાજકારણ ન કરવું જોઈએ. જો ભાજપ શાસિત રાજ્યમાં આવું થાય છે તો આપણે તેમને દોષી ઠેરવવા જોઈએ નહીં. ભીડ ખૂબ મોટી હતી, મેં ફ્રેન્ચાઇઝી સાથે વાત કરી, તેમણે પણ વિચાર્યું ન હતું કે આટલી મોટી ભીડ આવશે અને અચાનક આ ઘટના બની ગઈ. મૃતકોના પરિવારોને મહત્તમ મદદ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શેર ટ્રેડીંગમાં ડબલની લાલચ આપી ઠગાઇ કરનાર પકડાયો
June 06, 2025 12:07 PMરામાયણ'ના શૂટિંગમાં રણબીરનો નવો લુક જોઈને ફેન્સ ચોક્યા
June 06, 2025 12:01 PMશૈતાન'માં પેશાબના દ્રશ્ય વખતે માધવને સિફતથી ધાબળો ઓઢી લીધો
June 06, 2025 12:00 PMબીમારીથી વ્યથિત માલેતા ગામના મહિલાએ જિંદગી ટૂંકાવી
June 06, 2025 12:00 PMજુના મનદુઃખનો ખાર રાખીને ભાણવડના યુવાન પર હુમલો
June 06, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech