ગુજરાત વિધાનસભા બજેટ સત્રનું કામચલાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાયના બજેટ સત્ર અંગેની જાણકારી આપવામાં આવી છે. રાયપાલના સંબોધનથી ગુજરાતના બજેટસત્રની શઆત થશે. રાયપાલના સંબોધન બાદ શોકદર્શક ઉલ્લ ેખ રજૂ થશે અને સરકારી વિધાયકો, સરકારી કામકાજના મુદ્દાઓ રજૂ કરશે. એ પૂર્વે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિધાનસભાના કામકાજને બહાલી આપવામાં આવશે તારીખ ૧૮મી એ સાંજે ૫:૩૦ કલાકે ભારતીય જનતા પાર્ટી ની વિધાનસભા પક્ષની બેઠક મળશે એ જ દિવસે કોંગ્રેસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભા નું બજેટ સત્ર ૧૯ ફેબ્રુઆરી થી મળી રહ્યું છે આ સત્ર ના બીજા દિવસે તા. ૨૦ ફેબ્રુઆરીના દિવસે રાયનું વર્ષ ૨૦૨૫–૨૬નુ બજેટ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે. સરકારી વિધેયકો માટે આ પહેલા ચાર બેઠકો થશે. રાયપાલના સંબોધન પર ત્રણ બેઠકમાં ચર્ચા થશે. પૂરક માગણીઓ પર ચર્ચા અને મતદાન માટે બે બેઠક યોજાશે અને બજેટ સંદર્ભે ચાર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તમામ માગણીઓ પર ચર્ચા અને મતદાન માટે ૧૨ બેઠક યોજાશે. આ સિવાય બજેટ સત્ર અંગે સત્તા પક્ષની ૧૮મી ફેબ્રુઆરીએ બેઠક યોજાશે, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ બેઠકમાં હાજર રહેશે. આ સિવાય બેઠકમાં અને મંત્રીઓ અને ધારાસભ્યો પણ હાજર રહેશે.
ગયા વર્ષે ગુજરાતમાં ૨૦૨૪ના બજેટમાં સરકારે નવા કોઈ વેરા ન નાખી જનતાને રાહત આપી હતી. જેમાં જૂના કોઈ વેરાના દરમાં ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ગુજરાતનું ૩.૩૨ લાખ કરોડનું બજેટ રજૂ કરાયુ હતું. વર્ષ ૨૦૨૪–૨૫નું ૯૦૦.૭૨ કરોડની પૂરાંતવાળું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ૪૩૭૪ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
ગત બજેટમાં ગુજરાતમાં આઠ નગર પાલિકાઓને મહાનગરપાલિકામાં પાંતરિત કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. નવસારી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, વાપી અને સુરેન્દ્રનગરવઢવાણનો સમાવેશ થાય હતો. આ નવ રચિત મહાનગરપાલિકાઓ માટે વધારાનું બજેટ ફાળવવામાં આવશે વર્ષ દરમિયાન આ નવી મહાનગરપાલિકાઓમાં ચૂંટણીનું વર્ષ હોવાથી તેના માટે વિશેષ યોજના કે જાહેરાતો આ બજેટમાં થાય તેવી સંભાવના છે.વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન જીએસટી અંગેનું વટહત્પકમ રજૂ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech