કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગલુરુમાં એનડીએ સરકારના વિજય સરઘસ દરમિયાન ભાજપના બે કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. સરઘસને કારણે 20-25 મોટર સાયકલ સવારો દ્વારા મારામારીની ઘટના પણ બની હતી.
કર્ણાટક ભાજપે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું, 'એવું લાગે છે કે કર્ણાટકમાં તુઘલક યુગ પાછો આવી ગયો હોય આવું લાગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં બીજેપી કાર્યકર્તાઓનું સરઘસ જ્યારે એક મસ્જિદની સામેથી પસાર થયું ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો.
મેંગલુરુ પોલીસ કમિશ્નર અનુપમ અગ્રવાલે જણાવ્યું હતું કે રવિવારે મસ્જિદ નજીકથી પસાર થતી વખતે શોભાયાત્રામાં સામેલ લોકોએ 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. જેના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓની ઓળખ કર્યા બાદ મોહમ્મદ શાકિર, અબ્દુલ રઝાક, અબુબકર સિદ્દીકી, સવાદ અને મોનુની ધરપકડ કરવામાં આવી છે.
બે ઘાયલ પીડિતોની ઓળખ 41 વર્ષીય હરીશ અંચન અને 24 વર્ષીય નંદકુમાર તરીકે થઈ છે. બંને બોલિયારુના નજીકના રહેવાસી છે. જ્યારે આ લોકો રસ્તાના કિનારે ઉભા રહીને સરઘસ જોઈ રહ્યા હતા. ત્યારે સરઘસની પાછળ આવતા બે બાઇક સવારોએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો.
બંને લોકો ખતરામાંથી બહાર
આ બંનેની ડેર્લાકટ્ટેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આમાંથી એકનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. બંને ખતરાની બહાર છે. હુમલાનો ભોગ બનેલા ઈનોલીના કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે બોલિયારુ સ્થિત મસ્જિદની સામેથી સરઘસ પસાર થતાં જ બાઇક પર સવાર લોકોએ સરઘસમાં ભાગ લઈ રહેલા લોકો પર હુમલો કર્યો હતો. ભાજપના નેતાઓ અને કાર્યકરોએ હોસ્પિટલમાં પીડિતોની મુલાકાત લીધી હતી અને ઘટનાની નિંદા કરી હતી.
કર્ણાટક બીજેપીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે કર્ણાટકમાં ‘ભારત માતા કી જય’ બોલવું પણ સુરક્ષિત નથી. ભારત પ્રત્યે વધી રહેલી નફરત ખૂબ જ ખતરનાક છે. તેમણે કહ્યું કે અબુ બકર, બશીર, સિદ્દીકી, મોનુ અને અન્ય 20 લોકોએ મોદી સરકારના શપથ ગ્રહણની ઉજવણીમાં ભારત માતા કી જય બોલવા બદલ ભાજપના કાર્યકરો પર હુમલો કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech