રામદેવપીરના મંડપમાં ઘાયલ થયેલા લોકોની બ.સ.પા. નેતાઓએ લીધી મુલાકાત

  • June 12, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ચોપાટી મેળા મેદાનમાં રામદેવપીરનો મંડપ ખડો થતો હતો ત્યારે અકસ્માતે દોરડું તુટતા પડી જવાથી એક વ્યક્તિનું મોત થયુ હતુ અને ૧૫ વ્યક્તિઓને ઈજા થઈ હતી ત્યારે હોસ્પિટલે સારવાર માટે લવાયેલા લોકોની મદદ માટે અને ખબર અંતર પુછવા બ.સ.પા.ના આગેવાનો દોડી ગયા હતા.


તા.૧૧.૬.૨૦૨૫ને બુધવારના રોજ સવારના સુર્યોદય સમયે પોરબંદરમાં મેળાના મેદાનમાં યોજાયેલ રામદેવપીરના મંડપમાં અકસ્માત થયેલ તેમાં ૧ વ્યક્તિનું મૃત્યુ થયેલ તેમજ આશરે ૧૫ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયેલ અને તેઓને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા.આ અંગેના સમાચાર બહુજન સમાજ પાર્ટીના જીલ્લ પ્રમુખ એન.પી. રાઠોડને મળતા તેઓ તાકીદે પ્રભારી દિનેશભાઈ માંડવીયા તેમજ સુમનભાઈ ચાવડા,પુર્વે સરપંચ વિઝરાણા,પોપટભાઈ ચાંચિયા પુર્વ પ્રમુખ બહુજન સમાજ પાર્ટી, સહિતના કાર્યકરતા સાથે ભાવસિંહજી સરકારી હોસ્પિટલ દોડી આવેલ હતા અને પીડિતોના હાલચાલ જાણેલ તેમજ શક્ય એટલી તમામ મદદ કરવાની ખાત્રી આપી હતી તેમજ આ અત્યંત દુ:ખદ ઘટના અંગે સબંધિત સરકારી અધિકારીને જાણ કરીને મૃત્યુ પામેલ અને ઘાયલ થયેલ તમામ વ્યક્તિઓને સરકાર તરફથી સહાય મળે તેવી તજવીજ હાથ ધરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application